Western Times News

Gujarati News

વિજયનગરમાં પાલ શહીદ સ્મારક પાસે સ્થાનિકો ઉપવાસ પર બેઠા

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) વિજયનગરમાં એસટી ડેપોર્ન પ્રશ્ને આગાઉથી આપવામાં આવેલ એલાનને પગલે સાવરથી પાલ-દઢવાવ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પીને સત્યાગ્રહ આંદોલનનો પ્રારંભ કરવામા આવ્યો હતો. villagers sat on fast near the Pal Shaheed Memorial in Vijayanagar

અગાઉ અનેકવાર ચેક મુખ્યમંત્રી સુધી અનેકવાર આ મુદ્દે આવેદનપત્ર દ્વારા તમામ સંગઠનો એ એકી અવાજે એસટી ડેપો માટે રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ આદિજાતિ પછાત રાજ્યના વિજયનગરમાં એક એસટી ડેપોની જરૂરિયાત સંતોષવામાં ન આવતા વેપારીઓ,આગેવાનો,નાગરિકો સાગમટે

આજે અગાઉથી નિર્ધારિત કાર્યક્રમ મુજબ પાલ ખાતે સત્યાગ્રહ આદર્યો હતો. આજે આ સત્યાગ્રહમાં જાેડાયેલા આગેવાનોમાં ઈશ્વરભાઈ પટેલ,લાલજીભાઈ, ઉમેદસિંહ ચૌહાણ, મહેશભાઈ ભગોરા, નલિનભાઈ,હરેશભાઇ ત્રિવેદી સહિત સરપંચોનો અબે વિવિધ સંગઠનના આગેવાનોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે વિજયનગર વિજયનગર તાલુકાને કે એસ. ટી. ડેપો કે અદ્યતન સુવિધાવાળું બસ-સ્ટેન્ડ મળે એ માટે સ્થાનિકો એની ચૂંટાયેલા પ્રતિનિધિઓ વગરે દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં આ પ્રશ્ન ટલ્લે ચડતાં ન છૂટકે ઉપવાસ આંદોલનનો માર્ગ લેવા મજબૂર આગેવાનોએ

છેલ્લે મુખ્યમંત્રીમેં આવેદનપત્ર આપી આ માંગણી નહિ સંતોષાય તો આજ ૧લી. જૂન.૨૦૨૩ના રોજ પાલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પીને સત્યાગ્રહ આંદોલનનો પ્રારંભ કરાશે એવી તાકીદ કરી હતી જેના ભાગરૂપે આજે આ ઉપવાસ આંદોલ કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.