Western Times News

Gujarati News

મંડપ નાંખવા જવાનું કહીને ઘેરથી નીકળેલો યુવાન સળગેલી હાલતમાં મળ્યો

share broker suicide

પ્રતિકાત્મક

યુવાનનું અપહરણ કરી જવાયાનો પિતાનો આક્ષેપઃ અપહણ પાછળ રહસ્ય અકબંધ

વઢવાણ, સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ આવેલી બંસીધર સોસાયટીમાં રહેતો અને મંડપ સર્વીસનો વ્યવસાય કરતો ધીરૂભાઈ લક્ષ્મણભાઈ પરાલીયા નામના યુવાન રવીવારે રાત્રે પોતાના ઘરેથી મંડપ નાખવા જવાનું કહીને નીકળ્યો હતો પરંતુ તે રાત્રે દોઢ વાગે સળગેલી હાલતમાં હોસ્પીટલમાંથી મળી આવ્યો હતો.

બંસીધર સોસાયટીમા રહેતા ધીરૂભાઈ લક્ષ્મણભાઈ પરાલીયા મંડપ સર્વીસનો ધંધો કરે છે. ધીરૂભાઈ શરીરના ભાગે ગંભીર રીતે દાજી ગયાની કોઈને જાણ કરાતા ૧૦૮ની ટીમ તેમને તાત્કાલીક સારવાર માટે લઈ આવી હતી. બનાવની જાણ થતા સીટી પોલીસની ટીમ પણ હોસ્પિટલ પહોચી હતી.

આ બાબતે ધીરૂભાઈના પિતા લક્ષ્મણભાઈએ કહયું કે, દીકરાનું કોઈ અજાણ્યા શખ્સો અપહણ કરીને લઈ ગયા હતા. તેવું તેણે જણાવ્યું હતું કે આથી આ યુવાનનું અપહરણ કોણે અને શા માટે કર્યું તે અંગે રહસ્ય ધેરાયું છે. યુવાનને હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો છે.

આ ઘટના અંગે સીટી પીઆઈ આર.એમ.સરોડેએ જણાવ્યું કે, યુવાનના નિવેદનને અલગ અલગ આવે છે. ટીમને અમદાવાદ નિવેદન લેવા માટે મોકલી છે. ચોકકસ નિવેદન મળે પછી ગુનો દાખલ કીરશને તપાસ હાથ ધરીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.