Western Times News

Gujarati News

યે રિશ્તા ક્યા કહલાતા હૈ માં થશે કાજોલની એન્ટ્રી !!

મુંબઈ, રાજન શાહીનો શૉ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ છેલ્લા કેટલાય વર્ષોથી ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યો છે. આ સાથે જ આ ભારતીય ટેલિવિઝન પર સૌથી લાંબા સમય સુધી ચાલનારો શૉઝમાં પણ સામેલ થઈ ગયો છે. આ સિરીયલની લોકપ્રિયતાને જાેતા હવે બોલિવુડ અભિનેત્રી કાજાેલે પણ મોટો ર્નિણય કર્યો છે. Kajol’s entry will be in Yeh Rishta Kya Kehlata Hai

જી હાં, કાજાેલ હવે ટૂંક સમયમાં આ શૉમાં જાેવા મળશે. બોલિવુડ અભિનેત્રી કાજાેલની એન્ટ્રી થતાં જ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ને વધુ ખાસ બનવી દેશે. કાજાેલ અત્યારના દિવસોમાં પોતાના વેબ શૉ ‘ધ ટ્રાયલ’થી ‘નોયોનિકા’ રોલના કારણે ચર્ચામાં છે. હવે તે આ સિરીઝના પ્રચાર માટે ટીવી શૉમાં જાેવા મળશે.

દર્શકોએ આ શૉમાં કાજાેલની ઝલક જાેવા મળી છે. ફેન્સ પણ અભિનેત્રીને આ શૉમાં જાેવા માટે આતુર છે. જાણવા મળી રહ્યું છે કે, આ શૉમાં કાજાેલનો ફક્ત ગેસ્ટ અપિરિયન્સ જ હશે.

આ શૉમાં હર્ષદ ચોપરા અને પ્રણાલી રાઠોડની લીડ જાેડી છે. આ જાેડી અભિમન્યુ અને અક્ષરાની ભૂમિકામાં જાેવા મળે છે. ફેન્સ તેમને પ્રેમથી અભિરાના નામથી બોલાવવાનું પસંદ કરે છે. અભિમન્યુ, અક્ષરા અને અભિનવની આસપાસ આ શૉની સ્ટોરી ફરતી રહે છે. જ્યારે અબીરથી દૂર થવાના કારણે અત્યારે તો અક્ષરા ઉદાસ છે.

કારણ કે, અક્ષરા કસ્ટડીની લડાઈ હારી ગઈ છે, જેના કારણે અબીર, અભિમન્યુની સાથે રહે છે. એટલે આ શૉમાં અત્યારે નવા નવા ટિ્‌વસ્ટ અને ટર્ન્સ જાેવા મળી રહ્યા છે. ધ ટ્રાયલ વેબ સિરીઝમાં નૈનિકા સેનગુપ્તા (કાજાેલ) હાઉસવાઈફ છે. જ્યારે તેનો પતિ રાજીવ સેનગુપ્તા (જિશુ સેનગુપ્તા) કોર્ટમાં જજ છે.

બંનેને ૨ પુત્રી પણ છે. સિરીઝમાં કાજાેલને પોતાના પતિની કરતૂત વિશે ખબર પડે છે ત્યારે તેને ઝટકો લાગે છે. તેવામાં રાજીવને જેલની સજા થઈ જાય છે. એટલે તેની પ્રોપર્ટી અને પૈસાને જપ્ત કરી લેવામાં આવે છે. ત્યારબાદ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે તે લૉ ફર્મમાં કામ કરવાનું શરૂ કરી દે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.