Western Times News

Gujarati News

આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ: ગુજરાત સરકારની નર્સિંગ શિક્ષણમાં નવતર પહેલ

નર્સિંગ ક્ષેત્રે ૮ વિશેષ ‘સ્પેશિયલાઇઝ્ડ ડિપ્લોમા કોર્સ’ કાર્યરત કરીને રાજ્યમાં નર્સોની કાર્યક્ષમતા વધારી દર્દીઓને મળશે અત્યાધુનિક સારવાર

અમદાવાદ,    ગુજરાત સરકાર રાજ્યની આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે કટિબદ્ધ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં રાજ્યમાં અધતન હોસ્પિટલોના નિર્માણની સાથે નર્સિંગ સ્ટાફને પણ અત્યાધુનિક તબીબી જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરવામાં આવી રહ્યો છે. જેનો સીધો લાભ ગુજરાતના નાગરિકોને મળતી આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં વધારા સ્વરૂપે મળશે એમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.  

યાદીમાં વધુમાં જણાવાયું છે કેરાજ્ય સરકાર દ્વારા નર્સોની કાર્યક્ષમતામાં વધારો કરવા અને દર્દીઓને સુપર-સ્પેશિયાલિટી સારવાર પૂરી પાડવાના ઉમદા હેતુથી વિવિધ સ્પેશિયલાઇઝ્ડ નર્સિંગ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જે રાજ્યની સરકારી નર્સિંગ કોલેજોમેડિકલ કોલેજો, GMERS અને અમદાવાદ મ્યુનિ. કોર્પો. સંચાલિત મેડિકલ કોલેજો ખાતે એક વર્ષના પોસ્ટ બેઝિક ડિપ્લોમા‘ કોર્સ ચલાવવામાં આવી રહ્યા  છે.

રાજ્યમાં ઉપલબ્ધ સ્પેશિયલાઇઝ્ડ ડિપ્લોમા કોર્સમાં

•  ક્રિટિકલ કેર નર્સિંગ (Critical Care Nursing)

•  ઇમરજન્સી એન્ડ ડિઝાસ્ટર નર્સિંગ (Emergency & Disaster Nursing)

•  નિયોનેટલ નર્સિંગ (Neonatal Nursing – નવજાત શિશુની સંભાળ)

•  કાર્ડિયોલોજી નર્સિંગ (Cardiology Nursing – હૃદયરોગ)

•  ઓન્કોલોજી નર્સિંગ (Oncology Nursing – કેન્સર સારવાર)

•  સાયકિયાટ્રિક નર્સિંગ (Psychiatric Nursing – માનસિક સ્વાસ્થ્ય)

•  ઓર્થો એન્ડ રિહેબિલિટેશન નર્સિંગ (Orthopedic & Rehabilitation)

•  બર્ન્સ એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ નર્સિંગ (Burns & Reconstructive Nursing) નો સમાવેશ થાય છે.

*નર્સ પ્રેક્ટિશનર મિડવીફરી (NPM) કોર્સ* અંતર્ગત માતૃ અને શિશુ મૃત્યુદરમાં ઘટાડો કરવાના લક્ષ્ય સાથે રાજ્યની ૬ સરકારી નર્સિંગ કોલેજોમાં GNM/B.Sc. (Nursing) પછીનો ૧૮ માસનો ડિપ્લોમા ઇન નર્સ પ્રેક્ટિશનર મિડવીફરી‘ કોર્સ શરૂ કરાયો છેજેમાં હાલ કુલ ૧૨૦ બેઠકો ઉપલબ્ધ છે.

આંતરરાષ્ટ્રીય નર્સ દિવસે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કેરાજ્ય સરકાર ગુજરાતની તમામ નર્સોની નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવે છે. કોરોના કાળ હોય કે કુદરતી આફતઅથવા અન્ય આફતોમાં ગુજરાતની નર્સોએ હંમેશા અગ્રેસર રહીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્ય સરકારની આ શૈક્ષણિક પહેલથી આગામી સમયમાં નર્સિંગ સ્ટાફ માત્ર સેવક જ નહીંપરંતુ તબીબી ક્ષેત્રના સ્પેશ્યાલિસ્ટ‘ તરીકે ઉભરી આવશે તેમ શ્રી પાનશેરીયાએ વધુમાં ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.