Western Times News

Gujarati News

કેનેડાની પેઢીએ લાકડાના 144 કન્ટેનર મંગાવી અમદાવાદના વેપારી સાથે 6.18 કરોડની છેતરપિંડી કરી

અમદાવાદની જય જલારામ શો-મિલના ભાગીદારોની રૂ.૬.૧૮ કરોડની ઠગાઈ

અમદાવાદ, કેનેડા સ્થિત ભાગીદારી પેઢી સાથે પૂર્વ આયોજિત કાવતરાથી આંતરરાષ્ટ્રીય સ્તરે લાકડાના બિઝનેસમાં રૂ.૬.૧૮ કરોડથી વધુની છેતરપિંડીની સનસનાટીભરી ફરિયાદ ડભોઈ પોલીસ મથકે નોંધાઈ છે.

કેનેડાની પેઢી પાસેથી મોંઘાદાટ લાકડાના ૧૪૪ કન્ટેનર મુદ્રા પોર્ટ ખાતે મગાવી, બનાવટી બિલોના આધારે કસ્ટમમાંથી માલ છોડાવી લઈને અમદાવાદના વેપારીઓએ ૬.પ૦ લાખ અમેરિકન ડોલર ચુકવ્યા ન હતા ડભોઈના મંડાળાના સૃહદકુમાર પટેલ કેનેડાના નાગરિક છે.

એનઆરઆઈ વિદેશમાં ભાગીદારીમાં લાકડાનો બિઝનેસ કરે છે. દરમિયાન મિત્ર મિતુલ ભટ્ટને તેમણે ભાગીદાર બનાવ્યા હતા. મિતુલ ભટ્ટના કહેવાથી સૃહદ પટેલે અમદાવાદ સ્થિત જય જલારામ શો-મિલ સાથે લાકડાનો બિઝનેસ કરવાનું શરૂ કર્યું હતું.

જે બાદ એનઆરઆઈની ભાગીદારી પેઢી દ્વારા બે વિવિધ કંપનીઓ પાસેથી લાકડા ખરીદી જય જલારામ શો-મિલને મોકવાનું નકકી કર્યું હતું જે અંતર્ગત ૩૧ જાન્યુ.થી ૩૧ ઓકટોબર ર૦ર૪ દરમિયાન મુદ્રા પોર્ટ ખાતે લાકડાના કુલ ૧૪૪ કન્ટેઈનર મોકલાયા હતા

જેનું પેમેન્ટ લાકડા ભારતમાં પહોંચ્યાના ૬૦ દિવસ બાદ કરવાનું નકકી થયું હતું જે પૈકી ૮ કન્ટેઈનરનું પેમેન્ટ રૂ.૧.૦૬ કરોડનું પેમેન્ટ કેનેડાની બેંકમાં કરાયું હતું રૂ.૬.૧૮ કરોડનું પેમેન્ટ બાકી હોવાથી સૃહદ પટેલ સહિત ત્રણ ભાગીદાર ભારત આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.