વિશ્વ યોગ દિવસ: પ્રહલાદનગર ગાર્ડન ખાતે અમિત શાહની ઉપસ્થિતિમાં ભવ્ય યોગ મહોત્સવ
અમદાવાદ, 21 જૂન, 2026 : ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વેજલપુર વિધાનસભા વિસ્તારના પ્રહલાદનગર ગાર્ડન ખાતે ભવ્ય યોગ કાર્યક્રમ યોજાઈ ગયો. આ વિશેષ અવસરે ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ સ્વયં ઉપસ્થિત રહ્યા અને સૌ સાથે ભેળા થઈ યોગાભ્યાસ કર્યો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતની ઋષિ-મુની પ્રણીત યોગ સંસ્કૃતિ આજે વિશ્વના ૧૯૦થી વધુ દેશોમાં ફેલાઈ છે અને કરોડો લોકોની દૈનિક જીવનચર્યાનો અભિન્ન ભાગ બની ગઈ છે. “યોગ એ શરીર અને મનને એકાત્મમાં જોડતી દિવ્ય ચેતના છે” — પ્રધાનમંત્રી શ્રી મોદીના આ ઉદ્ગારોને આ કાર્યક્રમ ચરિતાર્થ કરતો રહ્યો.
આ કાર્યક્રમ દ્વારા “નિરામય સ્વાસ્થ્ય, સશક્ત રાષ્ટ્ર”ના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવ્યો. સૂર્યોદય સમયે ખુલ્લા ગાર્ડનમાં સામૂહિક યોગ સત્ર દ્વારા ઉપસ્થિત નાગરિકોએ તનમનની તાજગી અને ઊર્જા અનુભવી.
આ અવસરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રી હિતેશ બારોટ, સ્થાનિક ધારાસભ્યો, નગર સેવકો (કાઉન્સિલર), ભાજપ પદાધિકારીઓ તેમજ ભારે સંખ્યામાં ઉત્સાહી નાગરિકો ઉપસ્થિત રહ્યા.
ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ પહેલ કરી હતી, અને વર્ષ ૨૦૧૫થી સમગ્ર વિશ્વ દર વર્ષે આ દિવસ ઉત્સાહ સાથે ઉજવે છે. ૧૨ વર્ષ બાદ આ ઉત્સવ ભારત ઉપરાંત સમગ્ર દુનિયામાં જનઆંદોલન બની ચૂક્યો છે.
