Western Times News

Gujarati News

AMC આઇસીડીએસ અંતર્ગત ત્રણ આંગણવાડી કર્મીઓના અવસાન થતા આશ્રિતોને રૂ.૭૫/- લાખની સહાય

રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આઇસીડીએસના અલગ અલગ ઘટક હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સંચાલિત આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા ત્રણ કોરોના વોરિયર્સનું નોવેલ કોરોના વાયરસના સંક્રમણને કારણે આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમ્યાન દુઃખદ અવસાન થયેલ છે.

જે પૈકી સ્વ. ઉર્મિલાબેન ડી. ચૌહાણ, આંગણવાડી કાર્યકર ઓમનગર છાપરા, સ્વ.શિલ્પાબેન વી. ઠાકોર, આંગણવાડી તેડાગર, મેઘાણીનગર બ્લોક તથા સ્વ. રૂપાબેન પી. જોષી, આંગણવાડી તેડાગરના દુઃખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત/વારસદારોને પ્રત્યેકને રૂ.૨૫/- લાખની સહાયના ચેક મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા અને રાજ્યમંત્રી શ્રીમતિ વિભાવરીબેન દવેના હસ્તે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ સચિવ અને કમિશ્નર શ્રીમતિ મનિષા ચંદ્રા, આઇસીડીએસના નિયામકશ્રી અશોક શર્મા ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.