Western Times News

Gujarati News

કોરોનાના ડીસ્ચાર્જ દર્દીઓમાં ૭૦ ટકા હોમ આઈસોલેટેડ

Files photo

૧૩ ઓગસ્ટથી ૧૯ ઓગસ્ટ સુધી ૧૦પ૮ ડીસ્ચાર્જ પૈકી ૭૪૭ દર્દી હોમ આઈસોલેશનમાં હતા

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ ઘટી રહયા છે. છેલ્લા એક મહીનાથી દૈનિક સરેરાશ ૧૪પ જેટલા પોઝીટીવ કેસ બહાર આવી રહયા છે. જેની સામે ડીસ્ચાર્જ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. અમદાવાદ શહેરમાં કુલ કેસ સામે ડીસ્ચાર્જ ટકાવારી ૬ર ટકા જેટલી થઈ છે જે સારા ચિહ્‌નો છે. ઓગસ્ટ મહીનાના પ્રથમ ૧૯ દિવસમાં પણ ૧૩૦૦ કરતા દર્દીઓ સાજા થયા છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે છેલ્લા એક સપ્તાહ દરમ્યાન ડીસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓ પૈકી ૭૦ ટકા કરતા વધારે હોમ આઈસોલટેડ દર્દીઓ છે જયારે હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા ઓછી છે.

સ્માર્ટ સીટીમાં કોરોના કેસનો આંકડો એક મહીનાથી સ્થિર થઈ ગયો છે જેની સામે ડીસ્ચાર્જ દર્દીઓની સંખ્યા પણ સ્થિર થઈ છે. શહેરમાં ૧૯ ઓગસ્ટ સુધી કોરોનાના કુલ ર૭૯રપ કેસ નોધાયા છે જેની સામે ર૩૩૮૦ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ શહેરમાં ડીસ્ચાર્જ રેશિયો ૮૩.૭ર ટકા થાય છે. ઓગસ્ટ મહીનામાં પણ ડીસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા વધારે છે. પરંતુ મોટાભાગના દર્દીઓ સામાન્ય લક્ષણ ધરાવતા છે મતલબ કે મ્યુનિ. આરોગ્ય ખાતા દ્વારા જે દર્દીઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા હોય તેવા દર્દીઓ સાજા થયા હોય તેવા દર્દીઓ વધારે છે. ઓગસ્ટ મહીનામાં કુલ ર૪૬ર દર્દીઓ સાજા થયા છે.

જે પૈકી લગભગ પ૬ ટકા દર્દીઓ હોમ આઈસોલેટેડ હતા. જયારે ૧૩ ઓગસ્ટથી ૧૯ ઓગસ્ટ સુધી ડીસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓ પૈકી લગભગ ૭૦.૬૦ ટકા હોમ આઈસોલેટેડ હતા. ૧૩ ઓગસ્ટથી ૧૯ ઓગસ્ટ સુધી ૧૦પ૮ દર્દીઓને રજા આપવામાં આવી હતી. મનપા દ્વારા કોરોનામુક્ત જાહેર કરવામાં આવેલા ૧૦પ૮ દર્દીઓ પૈકી ૭૪૭ હોમ આઈસોલેટેડ હતા જયારે શહેરમાં કુલ કેસની સામે કુલ ડીસ્ચાર્જની ટકાવારી માત્ર ૩૪ ટકા છે.

મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત એસ.વી.પી હોસ્પિટલમાંથી અત્યાર સુધી કુલ ર૮૬૧ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે જેની સામે ઓગસ્ટ મહીનામાં માત્ર ૧૦૮ દર્દીઓ જ કોરોનામુક્ત થતા તેમને રજા આપવામાં આવી છે. અસારવાની સિવિલ હોસ્પીટલમાં અત્યાર સુધી કુલ ર૯૯૧ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે જયારે ઓગસ્ટ મહીનામાં (૧૯/૮ સુધી) માત્ર ૧ર૬ દર્દીઓ કોરોનામુક્ત થયા છે સરકારી હોસ્પીટલોમાં ઓગસ્ટ મહીનામાં ૩ર૦ દર્દીઓ સાજા થયા છે જયારે ખાનગી હોસ્પીટલોમાંથી ૭૯પ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ખાનગી હોસ્પીટલોમાં સરકારી હોસ્પીટલો કરતા બમણા દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે તેથી નિષ્ણાતો આ મામલે શંકા વ્યકત કરી રહયા છે.

મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા અને સીનીયર કોર્પોરેટર સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા ડીસ્ચાર્જ દર્દીના જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે પૈકી મોટાભાગના દર્દીઓ હોમ આઈસોલેટેડ હતા. મતલબ કે આ દર્દીઓને કોરોના વાયરસના હળવા લક્ષણો હતા. તેઓ આરામ કરવાથી અને સામાન્ય દવાથી સાજા થયા છે. પરંતુ જે દર્દીઓની સ્થિતિ ગંભીર છે તેમને યોગ્ય અને સમયસર સારવાર ન મળતી હોવાથી કોરોનામુક્ત થવામાં સમય લાગી રહયો છે. ખાનગી હોસ્પિટલો માત્ર કમાણીને ધ્યાનમાં રાખીને જ સારવાર કરતી હોય તેમ લાગે છે.

સરકારી હોસ્પીટલો કરતા બમણા દર્દીઓ ઓગસ્ટ મહીનામાં ડીસ્ચાર્જ થયા છે તેનો સીધો મતલબ એ છે કે ત્રણ-ચાર દિવસમાં જ દર્દીઓને ઘરે મોકલી આપવામાં આવતા હશે. મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા પણ હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને ખાનગી હોસ્પીટલોમાં રીફર કરવામાં આવી રહયા છે ખાનગી હોસ્પિટલોને તંત્ર દ્વારા નાણાં ચુકવવામાં આવી રહયા છે તેમ છતાં પુરતી સારવાર, સુવિધા અને સુરક્ષા મળતા નથી. જેના કારણે જ શ્રેય હોસ્પીટલ જેવી હોનારતો થઈ રહી છે. શહેરના કરદાતાઓના પરસેવાની કમાણીમાંથી જ ખાનગી હોસ્પીટલોને પેમેન્ટ થઈ રહયા છે તેવા સંજાેગોમાં છેવાડાના માનવીને પણ સારી સારવાર અને પુરતી સુરક્ષા મળી રહે તે બાબતનું ધ્યાન રાખવાની જવાબદારી સત્તાધારી પાર્ટીના શિરે છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.