Western Times News

Gujarati News

લોકો માસ્ક નહીં પહેરવા અને અંતર ન રાખતા કોરોના વધ્યો

Files Photo

નવી દિલ્હી: ભારતમાં કોરના વાયરસ સંક્રમણના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં હવે દિવસના સરેરાશ ૬૦ હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. તેના કુલ આંકડા વધીને ૩૧ લાખથી આગળ પહોંચી ચૂક્યા છે. સાથોસાથ મોટી સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યા છે. પરંતુ ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના કેસો કેમ આટલી ઝડપથી વધી રહ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ તેનું કારણ જણાવ્યું છે.

આઈસીએમઆરના મહાનિદેશક બલરામ ભાર્ગવે મંગળવારે દેશમાં વધી રહેલા કોરોના વાયરસના મામલાની ઝડપનું કારણ જણાવ્યું. તેઓએ કહ્યું કે, કેટલાક બિન જવાબદાર લોકોના માસ્ક ન પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રાખતા ભારતમાં કોરોના વાયરસની મહામારી વધી રહી છે. બલરામ ભાર્ગવે એમ પણ કહ્યું કે આઈસીએમઆરએ બીજો રાષ્ટ્રીય સીરો સર્વે શરૂ કર્યો છે જે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ સુધી પૂરી કરવામાં આવશે. ભાર્ગવે એક સવાલના જવાબમાં કહ્યું કે,

હું એમ નહીં કહીશ કે યુવાન કે વૃદ્ધ આવું કરી રહ્યા છે, હું કહું છું કે બિન-જવાબદાર, ઓવા જાગૃત લોકો માસ્ક નથી પહેરતા એન સામાજિક અંતરનું પાલન નથી કરી રહ્યા જેના કારણે ભારતમાં મહામારી વધી રહી છે. તેઓએ કહ્યું કે, અગાઉના રાષ્ટ્રીય સીરો સર્વેનો પૂરો રિપોર્ટની બે વાર સમીક્ષા કરવામાં આવી છે અને આ સપ્તાહના અંતમાં તેને ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત કરવામાં આવી શકે છે. બીજી તરફ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે, કોવિડ-૧૯ની તપાસમાં ઘણો વધારો કરવા છતાંય સંક્રમિત થવાના દરમાં સતત ઘટાડો આવ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે એ સાથે નોંધ્યું છે કે એક્ટિવ કેસોમાં પહેલીવાર ૨૪ કલાકમાં ૬,૪૨૩નો ઘટાડો નોંધાયો છે. મંત્રાલયે કહ્યું કે, કોવિડ-૧૯ની તપાસ હાલમાં વધીને પ્રતિ દિવસ પ્રતિ ૧૦ લાખ પર ૬૦૦ તપાસમાં વધુ થઈ ગઈ છે જે ૧ ઓગસ્ટે પ્રતિ દિવસ ૧૦ લાખ પર ૩૬૩ તપાસ કરી હતી. ભાર્ગવે કહ્યું કે, ભારતમાં અમારી પાસે ૧,૫૨૪ કોવિડ-૧૯ તપાસ પ્રયોગશાળાઓ છે અને ૨૫ ઓગસ્ટ ૨૦૨૦ સુધી ૩,૬૮,૨૭,૫૨૦ તપાસ કરવામાં આવી ચૂકી છે.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.