Western Times News

Gujarati News

બીએડની પરીક્ષા આપી કોઇને કોરોના થયો નથી, NEET-JEEની પરીક્ષા પણ થવી જોઇએ : યોગી

લખનઉ, દેશભરમાં અત્યારે NEET-JEEની પરીક્ષા મુદ્દે ઘમાસાણ ચાલલી રહ્યું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ  કોરોના સંકટને કારણે સપ્ટેમ્બરમાં યોજાનાર આ પરીક્ષાને સ્થગિત કરવાની માંગ કરી રહ્યા છે. કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો પણ આ મુદ્દે સરકારનો વિરોધ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓનું સમર્થન કરી રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે NEET-JEE પરીક્ષા મુદ્દે સરકારનું સમર્થન કર્યુ છે. યોગી આદિત્યનાથે જણાવ્યું કે અમે NEET-JEEની પરીક્ષાનું સમર્થન કરીએ છીએ.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉમાં આયોજિત એક ઉચ્ચસ્તરીય બેઠકની અંદર કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકાર NEET-JEEની પરીક્ષાનું સમર્થન કરે છે. તેમણે કહ્યું કે ગત નવ ઓગષ્ટના રોજ રાજ્યમાં બીએડ માટેની પ્રેવશ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં લગભગ પાંચ લાખ પરીક્ષાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષા બાદ ક્યાંય પણ કોરોના ચેપના સમાચાર આવ્યા નથી. આ જ રીતે NEET-JEEની પરીક્ષા પણ થઇ શકે છે.

 

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.