મેઘરાજા મહેરબાન તો નગરજનો પરેસાન વિરપુર નગરના મોટાભાગના મુખ્ય રસ્તાઓ બન્યા ખખડધજ
વિરપુર: વિરપુર નગરના રસ્તાઓના કામોમાં તંત્ર એટલી હદે બેદરકારી દાખવી રહ્યું છે કે લોકોને તંત્ર પરથી ભરોસો ઉઠી ગયો છે સ્થાનિક નેતાઓ અને પદ અધીકારીઓની બેદરકારીના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આવોજ ધાટ વિરપુર નગરનો જોવા મળ્યો છે નગરના મોટાભાગના મુખ્ય માર્ગો પર એક એક ફુટના ખાડા પડી ગયા છે જેથી કરીને આ રસ્તાનો ઉપયોગ કરીને સ્થાનીક લોકો પરેશાન જોવા મળ્યા છે
ચાલુ વર્ષ દરમિયાન વિરપુર નગરમાં વરસાદના કારણે પડેલા ગાબડા અને ખાડાઓ પર તંત્ર દ્વારા રોડ પર કાચોમાલ રેતી કપચી સીમેન્ટ નાખી સમારકામ કરવામાં આવ્યું હતું પણ રોડ કોન્ટ્રાક્ટરોના વધતા જતા ભ્રષ્ટાચાર અને અધીકારીઓના બેદરકારીના કારણે થોડા સમય પહેલા કરેલા કામની પોલ ખુલી પડી ગઈ હતી મુકેશ્વર ચોકડીથી સીએમ દેસાઈ હાઈસ્કુલ, હાઈસ્કુલથી ભાથીજી મંદિર,પશુદવાખાનાથી ચોકડી સુધીનો જેવા મોટાભાગના વિરપુરના પ્રવેશ માર્ગો પર મસમોટા ખાડા પડી ગયા હતા
જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી વધી ગઈ છે નગરના રસ્તાઓ લોકોને ખાડાના સહારે રહેવું પડે છે વિરપુર નગરના મોટાભાગના જાહેર માર્ગો એટલી હદે બીસ્માર બની ગયા છે ત્યાંથી નીકળવું પ્રજા માટે માથાના દુઃખાવા સમાન થઈ ગયા છે..