Western Times News

Gujarati News

ઈલેક્ટ્રીક કેબલના ઉત્પાદન એકમોમાં ભારતીય માનક બ્યૂરોએ દરોડા પાડ્યા

પ્રાપ્ત માહિતીના આધારે ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓની એક ટુકડીએ બ્યૂરો પાસેથી લાઈસન્સ લીધા વિના ઈલેક્ટ્રિક કેબલનું ઉત્પાદન અને આઈએસઆઈ માર્કાવાળા પેકિંગનો જથ્થો તારીખ  07-01-2021ના રોજ બકરોલ ગામની પાસે સ્થિત ગોપાલચરણ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ તેમજ સ્વાગત ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં કાર્યરત ઈલેક્ટ્રિક કેબલ બનાવનારા 4 એકમોમાં દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન મોટા જથ્થામાં ભારતીય માનક બ્યૂરોના માનક ચિન્હ આઈએસઆઈનો દુરુપયોગ વાળા વિવિધ બ્રાન્ડના દોઢ લાખ (1,50,000) મીટરથી વધુના ઈલેક્ટ્રિક કેબલનો માલ જપ્ત તથા સીલ કરવામાં આવ્યા હતો. જે એકમોનો માલ, બ્રાન્ડ તેમજ જપ્ત કેપલનો જથ્થો નીચે આપેલ છે.

આ ઉત્પાદન ભારત સરકાર દ્વારા અધિસૂચિત અનિવાર્ય પ્રમાણને અંતર્ગત આવે છે જેમાં, એ સમાવિષ્ટ છે કે કોઈ પણ વ્યક્તિ ભારતીય માનક બ્યૂરો પાસેથી માનક ચિન્હ (આઈએસઆઈ) લાયસન્સ વગર ઉત્પાદન કરી ન શકે. ભારતીય માનક બ્યૂરોની પૂર્વ અનુમતિ વગર માનક ચિન્હનો ઉપયોગ કરનાર સામે ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનો દંડનીય છે, જે અંતર્ગત 2 વર્ષની સજા અથવા 200,000નો આર્થિક દંડ અથવા બંનેની જોગવાઈ છે.

લોકો સાથે છેતરપિંડી કરવા આ પ્રકારે આઈએસઆઈ માર્કાનો ઉપયોગ થતો હોય છે. જે કોઈપણ વ્યક્તિ પાસે ભારતીય માનક બ્યૂરોના પ્રમાણિત ચિન્હના દુરપયોગની માહિતી હોય તે એ અંગે પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, અમદાવાદ શાખા કાર્યાલય, ત્રીજે માળ, નવજીવન અમૃત જયંતિ ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-380014. (ટેલિફોન – 27540314)ને જાણ કરી શકે છે. ફરિયાદને [email protected] અથવા [email protected] પર ઈ-મેઈલ પણ કરી શકાય છે. આ પ્રકારની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.