જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્મામાં હાર્ટફુલ મેડીટેશન વર્ગ યોજાયો
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે હાર્ટફુલ મેડીટેશન વર્ગ વડાલી તાલુકાના મોકમપુરાના શ્રી ગુણવંતભાઈ બારોટ સાહેબ દ્વારા યોજાયો. બાળકોમાં યાદશક્તિ અને એકાગ્રતા વધે તે માટે ત્રણ દિવસ માટે અડધા કલાકના પ્રયોગ દ્વારા થિયરીકલ તથા પ્રેક્ટીકલ માર્ગદર્શન આપવામાં આવ્યું.
શાળાના ધોરણ ૯ થી ૧૨ ના ૭૪૦ દીકરા દીકરીઓને ભાગ લીધો હતો કાર્યક્રમની રૂપરેખા તથા સ્વાગત આચાર્ય શ્રી સુરેશભાઈ એસ પટેલે કરી હતી. તથા કાર્યક્રમને અંતે આભાર વિધિ સુપરવાઇઝર શ્રી પી.કે પટેલે કરી હતી.