Western Times News

Gujarati News

ખેડૂતોના નરસંહારવાળા હેશટેગ ઉપર સરકારની ટ્‌વીટરને નોટિસ

નવી દિલ્હી, અત્યારે ચારેકોર ખેડૂતો આંદોલન ચર્ચાનો વિષય છે. ૨ મહિનાથી પણ વધારે સમયથી ખેડૂતોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. ખેડૂતોના નરસંહારવાળા ટિ્‌વટર હેશટેગ પર કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકારે આ મુદ્દે ટિ્‌વટરને નોટિસ પણ મોકલી છે.

નોટિસમાં સરકારે જણાવ્યું છે કે, ટિ્‌વટરે સરકારની વાત ન માની તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હકીકતમાં ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખાસ કરીને દેશની રાજધાની દિલ્હીની સરહદો પર મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.