Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીર: પાક. ની નાપાક હરકત, ફાયરીંગમાં ભારતીય સેનાના એક જવાન શહીદ

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના રાજૌરીના સુંદરબની સેક્ટરમાં LoC નજીક પાકિસ્તાને એકવાર ફરી નાપાક હરકત કરી છે. પાક તરફથી યુદ્ધવિરામનુ ઉલ્લંઘન કરીને રાજૌરીના સુંદરબની સેક્ટરમાં કરવામાં આવેલા ફાયરિંગમાં સેનાના જવાન લક્ષ્મણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે સેનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પરંતુ ગંભીર ઈજાના કારણે તેમણે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા.

ઉલ્લેખનીય છે કે 27 નવેમ્બર, 2020એ પણ રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાને નાપાક ફાયરીંગનો પરિચય આપ્યો હતો. તે સમયે પાક તરફથી અકારણ ફાયરીંગમાં ભારતના બે જવાન શહીદ થઈ ગયા હતા. તે મામલે પણ સારવાર દરમિયાન બંને જવાન શહીદ થઈ ગયા હતા. જવાનોની ઓળખ નાયક પ્રેમ બહાદુર ખત્રી નિવાસી મહરાજગંજ ઉત્તર પ્રદેશ અને સુખબીર સિંહ નિવાસી તરનતારન પંજાબ તરીકે થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.