Western Times News

Gujarati News

કાળિયાર કેસ : જોધપુર કોર્ટમાં સલમાન ખાનને મોટી રાહત, રાજ્ય સરકારની બંને અરજી નામંજૂર

જોધપુર, કાળિયાર શિકાર કેસમાં જોધપુર જિલ્લા કોર્ટ તરફથી બોલિવૂડ અભનેતા સલમાન ખાનને ગુરુવારે મોટી રાહત મળી છે. સલમાન ખાન તરફથી ખોટા સાક્ષી રજૂ કરવા સંબંધમાં રાજ્ય સરકાર દ્વારા જે અપીલ કરવામાં આવી હતી તેને કોર્ટે નામંજૂર કરી છે. સલમાન ખાન દ્વારા હથિયારોને લઇને આપેલા ખોટા એફિડેવિટ અંગે જોધપુર કોર્ટે પોતાના નિર્ણય આપ્યો છે.

કોર્ટે પોતાના નિર્ણમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી બે અરજીઓને નામંજૂર કરી છે. ઉલ્લેખનીય છે કે આર્મ્સ એક્ટ કેસમાં હથિયારના સાઇસન્સને લઇને ખોટા એફિડેવિટ રજૂ કરવા માટે રાજ્ય સરકારે સલમાન ખાન સામે અરજી કરી હતી. આ પહેલા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી અરજીને નીચલી અદાલતે પણ નામંજૂર કરી હતી.

સલમાન ખાનના વકિલે કોર્ટમાં જણાવ્યું કે જોધપુર જિલ્લા કોર્ટે એક ડિટેલ્ડ ઓર્ડરમાં રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલી બંને અરજીને ફગાવી દીધી છે. તેમણે આગળ કહ્યું કે મે 2006ના વર્ષમાં જવાબ આપ્યો હતો કે અમે ખોટા એફીડેવિટ આપ્યા નથી અને આવી અરજીઓ સલમાન ખાનની છબિ બગાડવા માટે કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે 2018ના વર્ષમાં એક નીચલી અદાલતે ઓક્ટોબર 1998ના વર્ષમાં ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંહગ દરમિયાન બે કાળિયારના શિકાર માટે સલનામ ખાનને અપરાધી ગણીને પાંચ વર્ષ જેલની સજા આપી હતી. અભિનેતાએ નીચલી અદાલતના આ નિર્ણયને સેશન કોર્ટમાં પડકાર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.