Western Times News

Gujarati News

મારા જીવનમાં પહેલા ક્યારેય મે પોતાને આટલો લાચાર સમજ્યો નથીઃ સુરેશ રૈના

મુંબઇ: આઈપીએલ ૨૦૨૧ અત્યારે નહીં થાય અને બીસીસીઆઈએ પણ તમામ ખેલાડીઓને પોતપોતાના ઘરે પાછા ફરવાનું કહી દીધુ છે. દરમિયાન, ખેલાડીઓ હવે પોતપોતાના ઘર તરફ આગળ વધી રહ્યા છે. વળી ભારત અને દુનિયાભરનાં ખેલાડીઓ કે જેઓ આઈપીએલમાં રમે છે, પોતપોતાની વાતો રાખી રહ્યા છે. દરમિયાન, ત્રણ વખતની આઈપીએલ ચેમ્પિયન ટીમ એમએસ ધોનીની અધ્યક્ષતામાં ચેન્નાઈ સુપર કિંગ્સનાં ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ ટિ્‌વટર પર પોતાની વાત રાખી છે.

સુરેશ રૈનાએ આઈપીએલ મુલતવી પછી ટિ્‌વટર પર લખ્યું છે કે, હમણાં કોઈ મજાક નથી લાગી રહ્યો. ખબર નથી કેટલી જીંદગી દાવ પર લાગી છે. મારા જીવનમાં પહેલાં ક્યારેય હુ પોતાને આટલો લાચાર સમજ્યો નથી. તેમણે કહ્યું કે આપણે કેટલી મદદ કરવા માંગીએ છીએ તે મહત્વનું નથી, ભલે ગમે તે હોય, આપણી પાસે સંસાધનોનો અભાવ છે. સુરેશ રૈનાએ આગળ લખ્યું છે કે, આપણે આ મુશ્કેલ સમયમાં બીજાનાં જીવ બચાવવા આગળ આવનારા દરેક નાગરિકને સલામ કરવુ જાેઈએ. આપને જણાવી દઈએ કે, સુરેશ રૈનાએ આઈપીએલ ૨૦૨૦ વચ્ચે જ છોડી દીધી હતી અને ભારત પરત ફર્યા હતા. તે પછી વિવિધ વાતો કરવામાં આવી હતી. કોરોના વાયરસને કારણે, બીસીસીઆઈએ યુએઇમાં આઈપીએલ ૨૦૨૦ કરવાની યોજના બનાવી હતી અને તે સફળતાપૂર્વક પણ કરાવવામાં આવી હતી.

જાેકે આ આઈપીએલમાં મેચ શરૂ થયા પહેલા કેટલાક ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા, પરંતુ તે પછી જ્યારે મેચ શરૂ થઈ ત્યારે આઈપીએલ ૨૦૨૦ સંપૂર્ણપણે સલામત વાતાવરણમાં ગોઠવવામાં આવ્યું હતું. આ વખતે બીસીસીઆઈએ ર્નિણય લીધો કે આઈપીએલ ફક્ત ભારતમાં યોજાશે. આ વખતે સુરેશ રૈના પણ તેની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતો દેખાયો હતો અને તેણે તેની પહેલી મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. સુરેશ રૈનાએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ નાં રોજ એમએસ ધોની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.