Western Times News

Gujarati News

કોવિડ-૧૯ના કારણે જીવ ગુમાવનારા ૬૭ પત્રકારોના પરિવાર માટે કેન્દ્ર સરકારે મંજૂર કરી આર્થિક સહાય

પ્રતિકાત્મક

નવીદિલ્લી: દેશમાં કોરોના વાયરસ મહામારીમાં જીવ ગુમાવનારની સંખ્યા સાડા ત્રણ લાખ થવા જઈ રહી છે એવા સમયમાં પણ પત્રકારો દિવસ રાત પોતાની ફરજ બજાવી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં કોવિડ-૧૯ના કારણે ઘણા પત્રકારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ દરમિયાન કોરોના મહામારીમાં જીવ ગુમાવનાર પત્રકારોની માહિતી એકઠી કરીને માહિતી અને પ્રસારણ મંત્રાલય અને પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ પત્રકાર કલ્યાણ યોજના અંતર્ગત આવા પત્રકારોના પરિવારોને આર્થિક મદદ આપવા માટે ર્નિણય કર્યો.
માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરેની અધ્યક્ષતામાં પત્રકાર કલ્યાણ યોજના સમિતિ દ્વારા કરવામાં આવેલ પ્રસ્તાવને મંજૂરી આપી.

જેમાં કોવિડ-૧૯ના કારણે જીવ ગુમાવનારા ૬૭ પત્રકારોના પરિવારો માટે આર્થિક સહાય મંજૂર કરવામાં આવી. આ પ્રસ્તાવમાં કોવિડ-૧૯ના કારણે મૃત્યુ પામનારા ૨૬ પત્રકારોના પ્રત્યેક પરિવારોને ૫ લાખ રૂપિયાની સહાય કરવાની જાેગવાઈ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ પહેલા કોરોનાના કારણે મૃત્યુ પામનારા ૪૧ પત્રકારોના પરિવારોને સહાય આપી હતી.

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો દ્વારા કોવિડ-૧૯ના કારણે જીવ ગુમાવનારા સંખ્યાબંધ પરિવારો સુધી પહોંચવા માટે સક્રિય કામગીરી કરી આ યોજના તેમજ દાવો દાખલ કરવા અંગે સંપૂર્ણ માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યુ. સમિતિએ જેડબ્લ્યુએસ હેઠળ આર્થિક સહાયતાની અરજીઓની પ્રક્રિયા ઝડપથી આગળ વધી શકે તે માટે સાપ્તાહિક ધોરણે બેઠક યોજવાનો ર્નિણય કર્યો.

વળી, કોવિડ-૧૯ સિવાયના કારણોસર જીવ ગુમાવનારા ૧૧ પત્રકારોના પરિવારોની અરજીઓ પણ ધ્યાનમાં લીધી હતી. આ બેઠકમા પીઆઇબીના અગ્ર મહાનિર્દેશક જયદીપ ભટનાગર, સંયુક્ત સચિવ (આઇએન્ડબી) વિક્રમ સહાય, સમિતિના પત્રકારોના પ્રતિનિધિઓ સંતોષ ઠાકુર, અમિત કુમાર, ઉમેશ કુમાર, સર્જના શર્મા સહિત અન્ય સભ્યોએ ભાગ લીધો હતો. પત્રકારો અને તેમના પરિવારો પીઆઇબીની વેબસાઈટ દ્વારા પત્રકાર કલ્યાણ યોજના હેઠળ મદદ માટે અરજી કરી શકે છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.