Western Times News

Gujarati News

નારોલમાં મૂર્તિકાર પર ફાયરીંગ,અજાણ્યા નંબરથી ૫ લાખ રૂપિયાની માંગ કરી

પ્રતિકાત્મક

અમદાવાદ: અમદાવાદ માં શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળતું જતું હોઈ તેવું લાગી રહ્યું છે . શહેરમાં એક પછી એક આવા હત્યાના કેસો વધતા જાેવા મળી રહ્યા છે . ત્યારે ગઈ કાલે રાતે જ શહેરના નારોલ વિસ્તાર માં એક આવો બનાવ બન્યો હતો જેમાં બાદમાં વસ્ત્રાપુરમાં કરોડોની લૂંટનો પ્રયાસ ખંડણી માટે મૂર્તિકાર પર ફાયરિંગનો બનાવ બન્યો હતો . જાણે ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ લાગી રહ્યું છે.

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા રામદેવ એસ્ટેટમાં મૂર્તિ બનાવતા ૫૫ વર્ષીય મૂર્તિકાર પરમસુખ પ્રજાપતિને બે દિવસ અગાઉ ફોન કરીને પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી મળેલી ધમકીને કારણે અનુરૂપ મૂર્તિકારે ફરિયાદ નોંધાવી હતી. મૂર્તિકાર ને હતું કે કોઈ મજાક મસ્તી કરી રહ્યું છે પરંતુ ગઈકાલે સાંજના ૮ઃ૩૦ કલાકે ત્રણ બાઈક સવારો તેમના કારખાને આવ્યા તેમાંના એક વ્યક્તિએ બાઈક પર ઉતરીને મૂર્તિકાર પર ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ ત્રણેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા

આ ફાયરીંગની આ સમગ્ર ઘટના કારખાનાની બહાર લાગેલા ઝ્રઝ્ર્‌ફ કેમેરામાં કેદ થઈ છે. ઘટના ઘટી ત્યારે મૂર્તિકાર સહિત પાંચ લોકો મૂર્તિ બનાવવાનું કામ કરી રહ્યા હતા. મૂર્તિકારને સામાન્ય ઇજા થઇ છે અને તેણે બનાવેલી મૂર્તિ પણ ખંડિત થઈ છે. હાલ નારોલ પોલીસે ઝ્રઝ્ર્‌ફ ના આધારે તપાસ હાથ ધરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.