Western Times News

Gujarati News

કરણની પાર્ટીમાં ગયેલા અન્ય બે પણ કોરોનાથી સંક્રમિત

મુંબઈ, દુનિયાભરમા કોરોનાએ ફરી એકવાર પગ પસારવાની શરુઆત કરી લીધી છે. ભારતમાં પણ ધીરે ધીરે કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. આટલુ જ નહીં, કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનું જાેખમ પણ ટોળાઈ રહ્યું છે. સરકારોએ ફરી એકવાર કમર કસી લીધી છે અને કોરોનાનું સંક્રમણ વધે નહીં તેના પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે.

આ દરમિયાન બોલિવૂડમાં પણ કોરોનાનો પ્રવેશ થઈ ગયો છે. ગઈકાલે સમાચાર મળ્યા હતા કે કરીના કપૂર અને તેની ખાસ બહેનપણી અમૃતા અરોરા કોરોનાનો શિકાર બની છે. હવે અન્ય બે લોકો કોરોના પોઝિટિવ હોવાની જાણકારી મળી રહી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, ફિલ્મ કભી ખુશી કભી ગમના ૨૦ વર્ષ પૂરા થયા હોવાને કારણે કરણ જાેહરના ઘરે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું. ફિલ્મની સફળતાને સેલિબ્રેટ કરવા આ સ્ટાર્સ એકઠા થયા હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાનો પ્રસાર અહીંથી જ થયો હતો.

ઉલ્લેખનીય છે કે કરીના કપૂરની બહેન કરિશ્મા કપૂર પણ કરણ જાેહરના ઘરે પાર્ટીમાં ગઈ હતી. કરીના કપૂર ખાન પછી અભિનેતા સોહેલ ખાનની પત્ની સીમા ખાન અને સંજય કપૂરની પત્ની મહીપ કપૂર પણ કોરોના સંક્રમિત થઈ હોવાની જાણકારી મળી રહી છે.

કરણ જાેહરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આટલું જ નહી, અમૃતાએ મલાઈકા અરોરા, કરિશ્મા કપૂર, મસાબા, રિયા કપૂર સહિત પોતાની બહેનપણીઓ સાથે પ્રિ-ક્રિસમસ પાર્ટી પણ કરી હતી. મલાઈકા, કરિશ્મા અને આલિયાનો રિપોર્ટ હજી નથી આવ્યો. બીએમસીની ટીમ દ્વારા બન્ને કોરોના પોઝિટિવ અભિનેત્રીઓની બિલ્ડિંગ સીલ કરી છે અને લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ટીમે સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ પણ કર્યો છે.

બીએમસીનું કહેવું છે કે, કરીના કપૂર અને અમૃતા અરોરાએ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. રવિવારના રોજ સોશિયલ મીડિયા પર કરીનાએ કોરોના સંક્રમિત હોવાની જાણકારી આપી હતી. અત્યારે તેના બન્ને બાળકો તૈમૂર અને જેહ તેની સાથે જ ઘરમાં છે. તેઓ હોમ ક્વોરન્ટાઈન થયા છે.

છેલ્લા કેટલાક દિવસથી કરીના કપૂરની તબિયત ઠીક નહોતી અને રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો. આ અંગે વાત કરતાં એક્ટ્રેસના પિતા રણધીર કપૂરે કહ્યું હતું કે, ‘કરીનાને હળવો તાવ હતો અને રવિવારે તેનું શરીર દુઃખી રહ્યું હતું. તેથી, તેણે ટેસ્ટ કરાવ્યો હતો. પરંતુ તે એકદમ ઠીક છે.

ડોક્ટર તેની સારી સંભાળ રાખી રહ્યા છે’. જ્યારે કરીના કપૂરના બે દીકરા તૈમૂર અને જેહ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘તે હાલ હોમ ક્વોરન્ટાઈન છે અને તેથી મેં તેને બંને બાળકોને મારા ઘરે મોકલી દેવા કહ્યું હતું. પરંતુ તેણે કહ્યું હતું કે, તૈમૂર અને જેહ તેની સાથે રહી શકે છે. તે ફીટ છે અને તેથી તે બરાબર છે.

કરીના કપૂરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના પ્રવક્તાએ કહ્યું હતું કે, લોકડાઉનના સમયગાળા દરમિયાન કરીના ખૂબ જ જવાબદાર રહી હતી. તે જ્યારે પણ બહાર જતી હતી ત્યારે ખૂબ જ ધ્યાન રાખતી હતી.

દુર્ભાગ્યે આ વખતે એક પ્રાઈવેટ ડિનરમાં થોડા મિત્રો ભેગા થયા હતા કે જ્યાં કરીના કપૂર ખાન અને અમૃતા અરોરા કોરોના વાયરસના સંપર્કમાં આવ્યા. તે કોઈ ખૂબ મોટી ડિનર પાર્ટી નહોતી. તે ગ્રુપમાં એક વ્યક્તિની તબિયત સારી નહોતી અને તેને સતત ઉધરસ આવતી હતી. આ વ્યક્તિએ ડિનર પાર્ટીમાં હાજરી આપીને અન્ય લોકો માટે ખતરો ઊભો કરવો જાેઈતો નહોતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.