Western Times News

Gujarati News

વસ્ત્રાપુર હાટ ખાતે યોજાયેલ ૪ દિવસીય સ્વાવલંબન મેળામાં કારીગરોને આપવામાં આવ્યું સન્માન

અમદાવાદ,  સ્મોલ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI), અમદાવાદ દ્વારા 16 થી 20 ડિસેમ્બર, 2021 દરમિયાન વસ્ત્રાપુર અમદાવાદ હાટ ખાતે ‘સ્વાવલંબન મેળા’નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

આ ‘મેળા’માં લગભગ 90 સૂક્ષ્મ સાહસિકો અને કારીગરો તેમની હસ્તકલા, હેન્ડલૂમ અને અન્ય કલા આધારિત ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવા માટે એક સરસ પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું.

આ મેળાનું સમાપન સમારંભ 20મી ડિસેમ્બર 2021ના રોજ કરવામાં આવ્યું હતું જેમાં સીડબીના રાષ્ટ્રીય સ્તરના બહુ જ સિનિયર પદાધિકારી અને ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર શ્રી સુદત્ત મંડલના વરદ હસ્તે સહભાગીઓ અને વિજેતાઓને પ્રમાણપત્રો અને ઈનામો પણ આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.