Western Times News

Gujarati News

નદી મહોત્સવ અંતગર્ત નેચરવોક અને વનસ્પતિ તથા પ્રાણીસૃષ્ટિનું પ્રદર્શન કાર્યક્રમનું આયોજન

આઝાદીકા અમૃત મહોત્સવ અંતગર્ત આયોજિત નદી મહોત્સવ સંદર્ભે ૨૯ ડીસેમ્બર, ૨૦૨૧ ના રોજ ઇન્દ્રોડાપાર્ક, ગાંધીનગર ખાતે નેચરવોક અનેવનસ્પતિતથાપ્રાણીસૃષ્ટિનું પ્રદર્શન  નોકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સ્થાનિક નાગરીકો, વનવિભાગ તથાપર્યાવરણ પ્રેમીઓ સહભાગી થશે. આ અંતગર્ત સંતસરોવર ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે.

સમગ્ર દેશમાં ’આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા “River of India”  થીમ પર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પણ “નદી મહોત્સવ” નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ ખાતે સાબરમતી નદી પર ચાર થીમમાં – સફાઈ, દેશભક્તિ, પ્રકૃતિ-પર્યાવરણ અને ભક્તિ-આધ્યાત્મિક  અંગેના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.