Western Times News

Gujarati News

યોગી આદિત્યનાથની શપથવિધિમાં વડાપ્રધાન હાજરી આપશે

નવી દિલ્હી, યુપીમાં બીજી વખત સીએમ બનવા જઈ રહેલા યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. એવુ કહેવાય છે કે હોળી બાદ 21 માર્ચે તેમની સીએમ તરીકેની સોગંદવિધિ યોજાશે.આ સોગંદવિધિ માટે અટલબિહારી વાજપાઈ એકના સ્ટેડિયમ પર પસંદગી ઉતારવામાં આવી છે.

ભાજપ આ ઐતહાસિક જીતનો ભરપૂર પ્રચાર કરવા ઈચ્છે છે અને એટલે જ શપથવિધિ માટેના સમારોહમાં પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે.સમારોહમાં એક લાખ લોકોને ભેગા કરવાનુ આયોજન છે.

આ સ્ટેડિયમને એટલે પણ પસંદ કરાયુ છે કે અહીંયા 1000 ફોર વ્હીલરનુ પાર્કિંગ થઈ શકે છે અને જરુર પડે તો હેલિપેડ પણ બનાવી શકાય છે.

આ વખતે ભાજપને 255 બેઠકો મળી છે અને સાથી પક્ષો સાથે કુલ 273 બેઠકો સાથે યોગી આદિત્યનાથ સતત બીજી વખત સરકાર બનાવવા જઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.