Western Times News

Gujarati News

રાજસ્થાન સરકાર પર નવા જિલ્લા બનાવવાનું દબાણ વધ્યું

જયપુર, રાજસ્થાન વિસ્તારની દૃષ્ટિએ મોટું રાજ્ય છે પરંતુ મધ્યપ્રદેશની સરખામણીમાં અહીં જિલ્લાઓની સંખ્યા ઘણી ઓછી છે. મધ્યપ્રદેશમાં હાલમાં ૫૦ થી વધુ જિલ્લાઓ છે જ્યારે રાજસ્થાનમાં માત્ર ૩૩ જિલ્લાઓ છે. રાજસ્થાનમાં નવા જિલ્લાઓની રચનાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે, પરંતુ હવે સરકાર આ મુદ્દે ગંભીરતાથી કામ કરી રહી છે.

રાજ્યના સીએમ અશોક ગેહલોતે કયા નવા જિલ્લાઓ હશે તે નક્કી કરવાની જવાબદારી ઉચ્ચ સત્તા સમિતિને આપી છે, જેની લગામ એક નિવૃત્ત એઆઇએસ અધિકારી રામલુભાયાને સોંપવામાં આવી છે. આ સમિતિમાં ગ્રામીણ વિકાસ અને મહેસૂલ સહિત અન્ય અનેક વિભાગોના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ છ મહિનામાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે.

મોટો પ્રશ્ન એ છે કે નવા જિલ્લાઓની જરૂર કેમ પડી? તેનું એક મોટું કારણ મજબૂત વહીવટી તંત્રનો અભાવ છે અને બીજું કારણ નેતાઓનું દબાણ છે. રાજધાની જયપુર સહિત રાજસ્થાનમાં એવા ઘણા જિલ્લા છે, જેનું કદ ખૂબ મોટું છે અને તેમની વસ્તી સતત વધી રહી છે. જયપુરના ગ્રામીણ વિસ્તારની જેમ, જ્યાં વસ્તી વધી રહી છે.

કોટપુતલી એ એવો વિસ્તાર છે જે જયપુરમાં આવે છે, જેનું જયપુરથી અંતર સો કિલોમીટરથી વધુ છે, પરંતુ અહીંનું સરકારી કામ જયપુરની કલેક્ટર ઓફિસથી ચાલે છે. તેવી જ રીતે સંભાર, શાહપુરા અને ફૂલેરા પણ જયપુરથી દૂર છે, પરંતુ આ તમામ વિસ્તારો જયપુર કલેકટરના આદેશ પર ચલાવવામાં આવી રહ્યા છે.હવે જયપુરના આ ચાર વિસ્તારોને અલગ જિલ્લો બનાવવાની માંગ ઉઠી છે.

તેવી જ રીતે જાેધપુરના ફલોદી, જેસલમેરના પોકરણ અને બાડમેરના બાલોત્રાને પણ લાંબા સમયથી અલગ જિલ્લા બનાવવાની માંગણી કરવામાં આવી રહી છે.

ખાસ વાત એ છે કે રાજસ્થાનના હાલના ૩૩ જિલ્લાઓમાંથી લગભગ ૨૪ જિલ્લામાંથી નવા જિલ્લા બનાવવાની માંગ કરવામાં આવી છે. જ્યારે જયપુરથી ચાર નવા જિલ્લાઓની માંગ વધી રહી છે, ત્યારે અલવર અને શ્રી ગંગાનગરથી ચાર નવા જિલ્લાની માંગ સામે આવી છે.

વર્ષ ૨૦૦૮માં રાજસ્થાનમાં પ્રતાપગઢને અલગ જિલ્લો બનાવવામાં આવ્યો હતો. ત્યારપછી રાજ્યમાં કોઈ નવા જિલ્લાની રચના થઈ નથી.
જાે કે વર્ષ ૨૦૧૪માં તત્કાલિન ભાજપ સરકારે નવા જિલ્લાઓની રચનાની સંભાવનાને લઈને અન્ય નિવૃત્ત આઈએએસ અધિકારી પરમેશ ચંદ્રાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી અને આ સમિતિનો રિપોર્ટ પણ વર્ષ ૨૦૧૮માં સરકારને મળ્યો હતો, પરંતુ હવે ગેહલોત સરકારે નવા જિલ્લા બનાવવાનો ર્નિણય લીધો છે. જિલ્લાઓની રચનાની કવાયત શરૂઆતથી શરૂ કરવામાં આવી છે.

દૌસા, સિરોહી, ટોંક, બુંદી, ઝુંઝુનુ, બાંસવાડા, ડુંગરપુર, પ્રતાપગઢ અને રાજસમંદ જિલ્લાઓમાંથી કોઈ જિલ્લો બનાવવાની માંગ નથી કારણ કે આ જિલ્લાઓ પહેલાથી જ કદ અને વસ્તીમાં નાના છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.