રણછોડપુરા પાટીયા પાસે કાર અડફેટે બાઈકચાલકનું મોત
વિજાપુર, વિજાપુર રણછોડપુરા પાટીયા પાસે પૂર ઝડપે આવતી કારે ટકકર મારતા બાઈકચાલક નીચે ફસડાઈ પાડતા ૧૦૮ મારફત સારવાર માટે સ્થાનીક હોસ્પિટલનાં લાવ્યાં બાદ વધુ સારવાર માટે હિંમતનગરના જયુપીટર દવાખાનામાં લઈ જતાં પ્રાથમીક સારવાર બાદ ભાન નહી આવતા તેમજ માથાના ભાગે વધુ ગંભીર ઈજાઓના કારણે વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો.
જયારં સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. જે અંગેની પોલીસ મથકે મૃતકના વાલીએ ફરીયાદ નોધાવી છે. આ અંગેની મળતી માહિતી મુજબ રણછોડપુરા પાટીયા પાસે બાઈક લઈને નીકળેલ રોડ ક્રોસ કરવા જતાં સામે આવી રહેલ કાર નંબરઃજી.જે. ૦૯ બી.ઈ.૮ર૦૬ના ચાલકે બાઈક નંબરઃ
જી.જે.૦ર બી.એલ.ર૪૭૬ના ચાલક શાહુલ કલસીગભાઈને ટકકર મારતા નીચે ફસડાઈ પડયો હતો જેના કારણે માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેને સ્થાનીક તાલુકા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. માથાના ભાગે ગંભીર ઈજા હોઈ વધુ સારવર ભાગે ગંભીર ઈજા હોઈ હોસ્પીટલમાં હિંમતનગર લાવવામાં આવ્યો હતો.
જયાં મારૂતી ચાલકે ખર્ચો આપ્યા બાદ અકસ્માતમાં ઈજા પામેલ શાહુલના ભાન નહી આવતા તેને અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જયાં સારવાર બાદ શાહુલ કલસીગભાઈનું મોત નીપજયું હતું જે અંગે મૃતકના પિતા કલસીગભાઈ ભલાભાઈએ પોલીસ મથકે મારૂતી ચાલકના વિરૂધ્ધ ફરીયાદ નોધાવી છે. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.