Western Times News

Gujarati News

કોરોનાના વધુ કેસ હશે તો IPL મેચ રિશિડ્યુલ્ડ કરાશે

File

મુંબઈ, ભારતમાં કોરોના સંક્રમણ વચ્ચે યોજાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ૨૦૨૨ની સિઝન થોડી અલગ બનવા જઈ રહી છે. બીસીસીઆઈએ કોરોના સંક્રમણનો સામનો કરવા અને ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ઘણી યોજનાઓ બનાવી છે. આ સીઝન ૨૬મી માર્ચથી શરૂ થવાની છે અને ફાઈનલ ૨૯મી મેના રોજ રમાશે.

ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) વચ્ચે રમાશે. ગયા વર્ષે કોરોના સંક્રમણના કેટલાક કેસ નોંધાયા બાદ ૪ મે ૨૦૨૧ના રોજ આઈપીએલને વચ્ચેથી સ્થગિત કરવામાં આવી હતી. તેનો બીજાે હાફ યુએઈમાં રમાયો હતો. જાે આ વખતે પણ આવા જ કિસ્સાઓ સામે આવશે તો શું પ્લાન હશે?

આ વખતે કુલ ૧૦ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. તમામ ટીમો એકબીજા સામે ૧૪-૧૪ મેચ રમશે. આ રીતે ગ્રુપ સ્ટેજમાં કુલ ૭૦ મેચ રમાશે. આ પછી ફાઈનલ સહિત ૪ પ્લેઓફ મેચો રમાશે. ગ્રુપ સ્ટેજની તમામ મેચો મુંબઈના વાનખેડે, બ્રેબોર્ન અને ડીવાય પાટીલ સ્ટેડિયમ સિવાય પુણેના એમસીએ સ્ટેડિયમ ખાતે રમાવાની છે.

મુંબઈ ઈન્ડિયન્સ જે ગ્રુપ-એમાં ટોચ પર છે, તેણે તેમની ગ્રુપ ટીમ કેકેઆર,આરઆર, ડીસીઅને એલએસજીસામે બે-બે મેચ રમવાની રહેશે. આ સાથે બીજા ગ્રુપમાં ટોચની ક્રમાંકીત ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પણ બે મેચ રમવાની રહેશે અને બાકીની ટીમો સામે એક-એક મેચ. ગ્રુપમાં બીજા નંબરની ટીમે બીજા ગ્રુપની બીજા નંબરની ટીમ સાથે બે મેચ, બાકીની ટીમો સાથે ૧-૧ મેચ રમવાની રહેશે.

જાે કોઈ એક ખેલાડી અથવા સ્ટાફ કોરોના સંક્રમિત છે, તો તે કિસ્સામાં તે પોઝિટિવ વ્યક્તિને ૭ દિવસ માટે આઈસોલેશનમાં મોકલવામાં આવશે. આ દરમિયાન, છઠ્ઠા અને ૭મા દિવસે આરટી-પીસીઆરટેસ્ટ કરવામાં આવશે. બંને ટેસ્ટમાં નેગેટિવ આવશે તો જ ટીમ સાથે બાયો-બબલમાં એન્ટ્રી આપવામાં આવશે. પ્રવેશ પહેલાં, તે પણ જાેવામાં આવશે કે શું તેનામાં કોઈ લક્ષણો છે કે પછી તેણે છેલ્લા ૨૪ કલાકમાં કોઈ દવા તો નથી લીધીને.

કોઈ પણ એક મેચ માટે, પ્લેઈંગ ઈલેવનમાં ઓછામાં ઓછા ૭ ભારતીય અને વધુમાં વધુ ૪ વિદેશી ખેલાડીઓ રમવાના હોય છે. એક અવેજી (ભારતીય) પણ હોય છે. આ રીતે ૧૨ ખેલાડીઓની ટીમ મેચની તૈયારી કરે છે. જાે કોરોના ચેપને કારણે ટીમના આ સંતુલનને ખલેલ પહોંચે છે, તો તે સ્થિતિમાં મેચ ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે. જાે કોઈ કારણોસર આ શક્ય ન બને તો આ સમગ્ર મામલો આઈપીએલની ટેક્નિકલ કમિટીને મોકલવામાં આવશે.

ત્યારબાદ સમિતિનો ર્નિણય માન્ય રહેશે. અગાઉ કોઈપણ મેચને ફરીથી શેડ્યૂલ કરવાની કોઈ પ્રક્રિયા નહોતી. તે સમયે જાે કોઈ ટીમ પ્લેઈંગ-૧૧માં ન ઉતરી શકી તો વિરોધી ટીમને પોઈન્ટ આપવામાં આવતા હતા. આ વખતે ટુર્નામેન્ટમાં દરેક ટીમને બંને દાવમાં ૨-૨ રિવ્યુ આપવામાં આવશે, જે અગાઉ ૧-૧ જ હતા.

એ જ રીતે બીજાે ફેરફાર કેચ આઉટ થવા વિશે છે. આ વખતે ૈંઝ્રઝ્રનો નવો નિયમ લાગુ કરવામાં આવશે. જાે કોઈ ખેલાડી કેચ આઉટ થાય છે, તો નવો બેટ્‌સમેન સ્ટ્રાઈક પર જ આવશે (જાે ઓવર ખતમ ન થઈ હોય તો). બોલરનો આગામી બોલ નવા બેટ્‌સમેન જ રમશે. આ મામલે ક્રિકેટના ચાહકો માટે સારા સમાચાર છે. કોરોનાની વચ્ચે મહારાષ્ટ્ર સરકારે સ્ટેડિયમમાં ૨૫% ફેન્સના પ્રવેશને મંજૂરી આપી દીધી છે. જાે કે, આ માટે ચાહકોએ રસીના બંને ડોઝ લીધેલા હોવા જાેઈએ. છેલ્લી બે સિઝનમાં (ભારત) કોરોનાના કારણે ચાહકોને એન્ટ્રી નહોતી મળી.

આ વખતે બીસીસીઆઈએ આઈપીએલના બાયો-બબલમાં એક મોટો ફેરફાર કર્યો છે. આ વખતે ખેલાડીઓએ ૩ દિવસ સુધી આકરા ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. તેમને હોટેલના રૂમમાંથી બહાર નહીં જવા દેવામાં આવે. દર ૨૪ કલાકે એક ટેસ્ટ પણ કરવામાં આવશે. ગત સિઝન સુધી ખેલાડીઓને ૭ દિવસ રોકાવું પડતું હતું. જાે કોઈ ખેલાડી સીરિઝમાં રમીને એક બાયો-બબલમાંથી આઈપીએલબાયો-બબલમાં આવે છે, તો તેને આ નિયમ નહીં લાગુ પડે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.