Western Times News

Gujarati News

ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો: INAS 316 સામેલ

નવી દિલ્હી, ભારતીય નૌસેનાએ મંગળવારે ઈન્ડિયન નેવલ એર સ્ક્વોડ્રન 316 (INAS 316) તરીકે નવી તાકાત મળી ગઈ છે. આને આઈએનએસ 316 તરીકે ઓળખવામાં આવે છે. મંગળવારે ગોવાના દબોલિમમાં હાજર આઈએનએસ હંસામાં આને તૈનાત કરાયુ છે.

આ દરમિયાન ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ આર હરિ કુમારની હાજરીમાં આને નૌસેનામાં સામેલ કરાઈ છે. આ સ્ક્વોડ્રનને ઘણુ ખતરનાક અને પોતાના કામમાં માહિર માનવામાં આવે છે. નૌસેનામાં સામેલ થનારી આ બીજી એવી સ્ક્વોડ્રન છે.

મંગળવારે આઈએનએસને નૌસેનામાં સામેલ કર્યા દરમિયાન કાર્યક્રમમાં નૌસેના પ્રમુખ આર હરિ કુમારે કહ્યુ આજની ગતિશીલ અને જટિલ સુરક્ષા સ્થિતિમાં આ સ્ક્વોડ્રનની ગતિ ક્ષમતા અમારા રાષ્ટ્રીય સમુદ્રી હિતની રક્ષા, સંરક્ષણ અને પ્રોત્સાહનને વધારનારી ક્ષમતાને મહત્વપૂર્ણ રીતે વધારશે.

ભારતીય નૌસેનામાં મંગળવારે સામેલ થયેલી આઈએનએએસ 316 સ્ક્વોડ્રન મુખ્ય રીતે હવાઈ સ્તરે કામ કરે છે. આ શક્તિશાળી વિમાન દ્વારા દુશ્મનની જાસૂસી કરતા દરિયામાં હાજર મરીનને જાણ કરે છે. આ સાથે જ આના વિમાનોમાં ખાસ કરીને ઉપકરણ અને મિસાઈલ પણ લાગેલી હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.