Western Times News

Gujarati News

હવે કર્ણાટકમાં શોભાયાત્રા પર હુમલો: પાંચની ધરપકડ

નવી દિલ્હી, રાજસ્થાનના કરોલીમાં હિન્દુ નવા વર્ષે શોભાયાત્રા પર હુમલો થયા બાદ હવે કર્ણાટકમાં પણ શ્રીરામ શોભા યાત્રા પર હુમલાની ઘટના બની છે.

મળતી વિગતો પ્રમાણે કર્ણાટકમાં કોલાર જિલ્લામાં શુક્રવારની રાતે નિકળેલી શ્રી રામ શોભા યાત્રા પર કેટલાક ક્ટ્ટરવાદીઓએ પથ્થરમારો કર્યો હતો. જેના પગલે તનાવ સર્જાયો હતો.

એ પછી આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસનુ કહેવુ છે કે, આ શોભાયાત્રા એક સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે વીજ પૂરવઠો ખોરવાયો હતો. સાંજનો સમય હોવાથી અંધારુ છવાઈ ગયુ હતુ અને તેનો લાભ લઈને કેટલાક તત્વોએ ભગવાન શ્રીરામની મૂર્તિ પર પથ્થરો ફેંક્યા હતા.

એ પછી ભાગદોડ અને હંગામો મચી ગયો હતો. બે કારના કાચ પણ તુટયા હતા અને એક બાઈકને આગ ચાંપી દેવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.