Western Times News

Gujarati News

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લાના પલ્લી ગામથી દેશની પંચાયતોને સંબોધશે

તા. ૨૪મીના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિનની ઉજવણી અંતર્ગત આણંદ જિલ્લામાં ગ્રામ સભાઓ યોજાશે

આણંદ –  :: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા. ૨૪/૪/૨૦૨૨ને રવિવારના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ભારત સરકારના રાજ મંત્રાલય દ્વારા  ખાસ ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજનના ભાગરૂપે આણંદ જિલ્લામાં પણ રાષ્ટ્રીય પંચાયત દિનની ઉજવણી અંતર્ગત જિલ્લાના તમામ ગામોમાં સવારના ૧૧-૦૦ કલાકે ગ્રામ સભાઓ યોજવામાં આવનાર છે. આ દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જમ્મુ-કાશ્મીર રાજયના સાંબા જિલ્લાના પલ્લી ગામથી લાઇવ ટેલીકાસ્ટના માધ્યમથી બપોરના ૧૨-૦૦ કલાકે સમગ્ર દેશની પંચાયતોને સંબોધન કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.