Western Times News

Gujarati News

મોટી કુંકાવાવમાં રામચરિત માનસ કથાનું આયોજન

મોટી કુંકાવાવમાં આવેલી ખાખી મહારાજની જગ્યામાં મનોજભાઇ જાષીના વ્યાસાસને રામચરિત માનસ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં રામ જન્મોત્સવની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી.

કથામાં હાજર રહેલા મહાનુભાવોએ મનોજભાઇ જાષીનું પુષ્પ અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ કથામાં સરપંચ સંજયભાઇ લાખાણી, દેવાભાઇ પટેલ, અરવિંદભાઇ સોની, મહેન્દ્રભાઇ જાષી, હેમલતાબેન જાષી, રસીકલાલ ભટ્ટ, શૈલેષભાઇ, પી.ડી. ભટ્ટ સહિત ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરીટભાઇ જાષીએ કર્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.