Western Times News

Gujarati News

ડાકોર ખાતે રપ૦મી રથયાત્રા નીકળશે

Rathyatra will start at Dakor

(પ્રતિનિધિ) આણંદ, યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાય મંદિરેથી રપ૦મી રથયાત્રા તા.૧ જુલાઈને અષાઢી બીજના દિવસે નીકળનાર છે. રથયાત્રાને આડે હવે ગણત્રીના દિવસો બાકી રહયા છે ત્યારે મંદિરમાં શ્રીજીના બે રથોને તૈયાર કરવા કારીગરો આખરી ઓપ આપી રહયા છે.

રથયાત્રા મંદિરેથી સવારે ૧૦ વાગ્યાના અરસામાં નીકળી ગૌશાળા, ભટ્ટજીની બેઠક, નરસિંહ ટેકરી, રાધાકુંડ, મોખા તલાવડી થઈ ગાયોના વાડે પહોચશે. ગાયોના વાડે શ્રીજી વિશ્રામ લેશે.

ત્યારબાદ રથયાત્રા રણછોડપુરા, સમાધી સ્થળે થઈ કેવડેશ્વર મહાદેવ આવ્યા બાદ શ્રીજીની સજારી લક્ષ્મીજી મંદિર, સત્યભામાના મંદિરે રોકાઈને રણછોડજી મંદિરે સાંજના સમયે પરત આવશે. રથયાત્રામાં ઘોડા તથા ભજન મંડળીઓ જાેડનાર છે રથયાત્રા રંગેચંગે પૂર્ણ થાય તે માટે મંદિર તંત્ર સજ્જ થવા માંડ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.