Western Times News

Gujarati News

જંબુસર તાલુકા દલિત સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન

(પ્રતિનિધિ) જંબુસર, થાનગઢ ગામે દલિત સમાજ ઉપર થયેલા હુમલા- હત્યાકાંડ અંગે ન્યાય અપાવવા જંબુસર તાલુકા દલિત સમાજ દ્વારા પ્રાંત અધિકારી ઓફીસે શિરસ્તેદાર રમેશભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજ હાજર રહયા હતા.

 

જંબુસર તાલુકા દલિત સમાજ દ્વારા અપાયેલ પ્રાંત કચેરી ખાતે આવેદન આપવા પ્રભુદાસ મકવાણાની અધ્યક્ષતામાં અપાયુ હતું આવેદનપત્રમાં જણાવાયું હતું કે તા.૧ર.૬ ના રોજ રાત્રે ૧૧.૦૦ કલાકે માથાભારે દરબારો ધ્વારા થાનગઢમાં દલિત સમાજના મહોલ્લામાં થયેલ ઘાતકી હુમલામાં ગોળીબારમાં એક યુવાન પ્રકાશભાઈ પરમારનું મૃત્યુ થયું છે જયારે એક યુવાન ઘાયલ થતા રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જે અંગે સરકારે તાકીદે ન્યાયીક તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માંગણી છે અને કોમને ન્યાય મળે તે માટે અમારી માંગણી છે ગુનેગારને સખ્તમાં સખ્ત સજા થયા તેવી વિનંતી છે ગુજરાત સરકાર દલિત સમાજને રક્ષણ આપવામાં નિષ્ફળ ગઈ છે જેને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ તેમ જણાવાયું હતું આવેદનપત્ર આપવા દલિત સમાજના આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં જાડાયા હતા.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.