Western Times News

Gujarati News

જનસાધારણ એક્સપ્રેસ અમદાવાદને બદલે સાબરમતીથી ઉપડશે

 11 જુલાઈથી અમદાવાદ-આગ્રા કેન્ટ, અમદાવાદ-ગ્વાલિયર અને અમદાવાદ મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ અમદાવાદને બદલે સાબરમતીથી દોડશે.

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદ-આગ્રા કેન્ટ એક્સપ્રેસ, અમદાવાદ-ગ્વાલિયર એક્સપ્રેસ અને અમદાવાદ-મુઝફ્ફરપુર સાપ્તાહિક જનસાધારણ એક્સપ્રેસ ટ્રેનો અમદાવાદને બદલે સાબરમતી (ધરમ નગર)થી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

1. તારીખ 11 જુલાઈ 2022 થી, ટ્રેન નંબર 12548 અમદાવાદ-આગ્રા કેન્ટ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી 16:50 કલાકે ઉપડશે.

2. તારીખ 12 જુલાઈ 2022 થી, ટ્રેન નંબર 22548 અમદાવાદ-ગ્વાલિયર એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી 16:50 કલાકે ઉપડશે.

3. તારીખ 16 જુલાઈ 2022થી, ટ્રેન નંબર 15270 અમદાવાદ-મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી 17:55 કલાકે ઉપડશે.

4. તારીખ 11 જુલાઈ 2022 થી, ટ્રેન નંબર 12547 આગ્રા કેન્ટ-અમદાવાદ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર 12:05 કલાકે ટર્મિનેટ (સમાપ્ત) થશે.

5. તારીખ 10 જુલાઈ 2022થી, ટ્રેન નંબર 22547 ગ્વાલિયર-અમદાવાદ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર ટર્મિનેટ (સમાપ્ત) થશે.

6. તારીખ 14 જુલાઈ 2022 થી, ટ્રેન નંબર 15269 મુઝફ્ફરપુર-અમદાવાદ જનસાધારણ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર ટર્મિનેટ (સમાપ્ત) થશે.

ટ્રેનોના સંચાલન, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.