Western Times News

Gujarati News

ઔધોગિક તાલીમ સંસ્થા, પાવાગઢ ખાતે “પ્રધાનમંત્રી એપ્રેન્ટિસ ભરતી” મેળો યોજાશે

ગોધરા,  પંચમહાલ જીલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ ભરતીમેળો આઈ.ટી.આઈ,પાવાગઢ (હાલોલ) ખાતે આગામી તા. ૧૧/૦૭/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યાથી શરૂ થનાર છે. જેમાં જિલ્લાના વિવિધ એકમો તેઓની વેકેન્સી સાથે હાજર રહેશે.

આ ભરતી મેળામાં આઈ.ટી.આઈ પાસ અને ડિપ્લોમા (ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ) લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકે છે. આ મેળામાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોને તેઓના જરૂરી પ્રમાણપત્ર અને તેની નકલો સાથે રૂબરૂ હાજર રહેવું તેવું આચાર્યશ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોધરા એક અખબારી યાદીમા જણાવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.