Western Times News

Gujarati News

બગસરા નજીક બસ વીજળીના થાંભલા સાથે અથડાઇ

બગસરા-મોટા મુંજીયાસર રોડ પર પરશુરામ મંદિર પાસે એસટી બસ વીજપોલ સાથે અથડાતા મુસાફરોના જીવ ઉંચા થઈ ગયા હતા. બગસરા ડેપોની જૂનાગઢ-મહુવા એસ.ટી.બસ પરશુરામ મંદિર પાસે વળાંકમાં ડ્રાઈવરે બ્રેક મારતા બસના પાછળના ટાયર ચોંટી જતા ડ્રાઈવરે બસને કાબુમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો

પરંતુ બ્રેક ન લાગતા બસ વીજપોલ સાથે અથડાઈ હતી. બસ અથડાવાથી વીજપોલ ધરાશાયી થઈ ગયો હતો. જા કે સદ્દનસીબે કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવ્યો હતો. અકસ્માતની જાણ થતા એસ.ટી.વિભાગ, પીજીવીસીએલના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.