Western Times News

Gujarati News

સાઉથ ઇન્ડિયા ડિવાઇન અને  હર હર ગંગે ટૂરિસ્ટ ટ્રેનનું બુકિંગ ફરીથી શરૂ થયું

ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) રીજીનલ ઓફિસ અમદાવાદ, સ્વદેશ દર્શન સ્પેશ્યલ ટ્રેન દ્વારા સાઉથ ઇન્ડિયા ડિવાઇન અને હર હર ગંગે ની સ્પેશ્યલ ટૂર રાજકોટથી રવાના થશે. આ ટ્રેનમાં મુસાફરો સાબરમતી, વડોદરા, કલ્યાણ, અને પુણે  સ્ટેશનથી પણ બેસી શકશે

તથા હર હર ગંગે ટ્રેન માં મુસાફરો સાબરમતી , છાયાપુરી (વડોદરા),રતલામ અને સંત હીંદારામ નગર સ્ટેશનથી  બેસી શકશે. IRCTCના પશ્ચિમ ઝોનના ગ્રુપ જનરલ મેનેજર શ્રી રાહુલ હિમાલિયન એ જણાવ્યું હતું કે 20 નવેમ્બર 2022 અને 24 જાન્યુઆરી 2023 ના રોજ દક્ષિણ દર્શન ટૂરમાં મુસાફરોને રામેશ્વરમ, મદુરાઇ, કન્યાકુમારી, તિરૂપતિ માટે લઈ જવામાં આવશે. વધુ વિગતો આપતા શ્રી શુક્લાએ કહ્યું કે, 01 ડિસેમ્બર 2022 ના રોજ હર હર ગંગે ટૂર માં મુસાફરો ને પુરી , કોલકાતા ,ગંગાસાગર , વારાણસી અને પ્રયાગરાજ માટે લઈ જવામાં આવશે.

આ પેકેજ માં ટ્રેન ટિકિટ, ભોજન (ચા-નાસ્તો, લંચ અને ડિનર), માર્ગ પરિવહન માટે બસની વ્યવસ્થા, ધર્મશાળા આવાસ/રૂમની સુવિધા ટૂર એસ્કોર્ટ, કોચ સિક્યુરિટી ગાર્ડની સુવિધા, હાઉસકીપિંગ અને જાહેરાતની સુવિધા માહિતી માટે ઉપલબ્ધ હશે. આ પ્રવાસી ટ્રેન રાજકોટથી નીકળી રાજકોટ પરત ફરશે.

વધુ માહિતી માટે www.irctctourism.com પર લોગ ઇન કરો અથવા 079-26582675,8287931718,9321901849, 9321901851, 9321901852 પર સંપર્ક કરો. આ સિવાય મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ IRCTC ઓફિસમાંથી અને અધિકૃત એજન્ટો પાસેથી પણ બુક કરાવી શકે છે.

મુસાફરોના બજેટને ધ્યાનમાં રાખીને  IRCTC ટૂરિસ્ટ ટ્રેન નું  આયોજન નીચે મુજબ કરેલ છે. :-

(બધા પેકેજ LTC માન્ય રહેશે.)

પ્રવાસની વિગતો મુસાફરીની તારીખ દર્શન સ્થળ પેકેજ ટેરિફ: – (જીએસટી સહિત)   બજેટ (SL),સ્ટાન્ડર્ડ (SL)  અને   કમ્ફર્ટ (3AC)
સાઉથ ઇન્ડિયા ડિવાઇન (WZSD08) 20.11.22  થી 28.11.22 રામેશ્વરમ, મદુરાઇ, કન્યાકુમારી, તિરૂપતિ Rs.13,900/-  Budget Class (SL)

Rs.15,300/- Sstandard  Class (SL) Rs.23,800/- Ccomfort Class (3A)

હર હર ગંગે (WZSD09) 01.12.22  થી 09.12.22 પુરી, કોલકાતા,

ગંગાસાગર, વારાણસી, પ્રયાગરાજ

Rs.14,900/-  Budget Class (SL)

Rs.16,500/- Sstandard  Class (SL) Rs.25,300/- Ccomfort Class (3A)

સાઉથ ઇન્ડિયા ડિવાઇન (WZSD10) 24.01.23  થી 01.02.23 રામેશ્વરમ, મદુરાઇ, કન્યાકુમારી, તિરૂપતિ Rs.13,900/-  Budget Class (SL)

Rs.15,300/- Sstandard  Class (SL) Rs.23,800/- Ccomfort Class (3A)

કોવિડ પ્રોટોકોલને પગલે IRCTC ના પશ્ચિમ ઝોનના ગ્રુપ જનરલ મેનેજર શ્રી રાહુલ હિમાલિયન એ જણાવ્યું હતું કે, મુસાફરોએ “કેન્દ્ર સરકારના રસીકરણ કાર્યક્રમમાં” ભાગ લેવો જોઈએ અને વહેલી તકે રસીકરણ કરાવવું જોઈએ અને કોવિડથી સુરક્ષિત રહેવું જોઈએ. આ યાત્રાઓ તમામ કોવિડ નિયમોને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવી રહી છે.

મુસાફરોની સલામતી માટે, તમામ મુસાફરોની ટ્રેન દ્વારા મુસાફરી શરૂ કરતા પહેલા થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે, “આરોગ્ય-સેતુ” એપ ડાઉનલોડ કરવાનું સુનિશ્ચિત કરવામાં આવશે. ટ્રેનના કોચ અને મુસાફરોનો સામાન સેનિટાઇઝ કરવામાં આવશે.

ટ્રેનમાં પ્રાથમિક સારવારની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે અને જરૂર પડશે તો રેલવે ડોક્ટરની પણ માંગણી મુજબ નજીકના સ્ટેશન પર વ્યવસ્થા કરવામાં આવશે. જો કોઈ મુસાફર અસ્વસ્થ બને છે, તો એક અલગ કોચની પણ વ્યવસ્થા રહેશે. અને મુસાફરી દરમિયાન વેકસિનેશન ફરજિયાત છે. “મુસાફરોને સુખદ મુસાફરી માટે IRCTC ને સહકાર આપવા વિનંતી છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.