Western Times News

Gujarati News

સિંગરવામાં યુવતિની છેડતી બાબતે અથડામણ થતાં ભારે અફડાતફડી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : નિકોલ વિસ્તારમાં સિંગારવા નજીક દશામાંના મંદિર પાસે ગઈકાલે બે જુથ વચ્ચે જારદાર અથડામણ થતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. પોલીસ આ અંગે રાયોટીંગનો ગુનો દાખલ કરી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ અંગેની વિગત એવી છે કે નિકોલ વિસ્તારમાં સિંગરવા ખાતે દશામાંના મંદિર પાસે ગોપાલનગરમાં રહેતા નરસીભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર અને આ જ સ્થળે રહેતા ભોલા, ગફુરભાઈ વચ્ચે અગાઉ થયેલી યુવતિની છેડતી બાબતે મનદુઃખ ચાલતું હતુ. ગઈકાલે આશરે નવ વાગ્યાના સુમારે ફરી નરસીભાઈ અને ભોલા વચ્ચે આ બાબતે ઝઘડો થતાં બંન્ને જુથના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.

અને જાતજાતામાં જ બંન્ને જુથ વચ્ચે જારદાર મારામારી થતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. અને લોકોએ ભાગદોડ કરી મુકી હતી. બનાવની જાણ થતાં જ નિકોલ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટોળાને વિખેરી નાંખ્યા હતા.

અને આ વિસ્તારમાં આ પ્રકારની અન્ય કોઈ ઘટના ન બને એ માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ સઘન પેટ્રોલીંગ શરૂ કરી દીધું હતુ. આ બાબતે નરસીભાઈ લક્ષ્મણભાઈ ઠાકોરની ફરીયાદના આધારે પોલીસે ભોલા ગફુરભાઈ, ગફુરભાઈ ગાંડાભાઈ અને કનુભાઈ ગાંડાભાઈ સહિત ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.