Western Times News

Gujarati News

સામંથાએ નાગા ચૈતન્ય પર લગાવ્યા આરોપ : ફિલ્મ ક્રિટિક્સ ઉમૈર સંધુ

મુંબઈ, સામંથા અને નાગા ચૈતન્યના લગ્ન માત્ર ચાર વર્ષ જ ટકી શક્યા. આ પછી, બંનેએ ૨ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા સેપરેશનની જાહેરાત કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા, જે પછી ઘણી અટકળો લગાવવામાં આવી હતી. Samantha accuses Naga Chaitanya: Film critics Umair Sandhu

તેમ છતાં તેમના છૂટાછેડાનું કારણ સ્પષ્ટ થયું નથી. તેવામાં હવે સામંથા અને નાગા ચૈતન્યના અલગ થયાના દોઢ વર્ષ બાદ તેનું રહસ્ય ખુલ્યું છે. ફિલ્મ ક્રિટિક્સ ઉમૈર સંધુએ તેમના છૂટાછેડાનો ખુલાસો કર્યો છે. તેના ટિ્‌વટ અનુસાર, સામંથાએ નાગા ચૈતન્ય પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.

રિપોર્ટ અનુસાર, ફિલ્મ ક્રિટિક ઉમૈર સંધુએ ટ્‌વીટ કર્યું અને લખ્યું, ‘સામંથા અનુસાર, નાગા ચૈતન્યએ તેની સાથે ખરાબ વર્તન કર્યું. તે ખૂબ જ ખરાબ પતિ છે. ઉમૈરે તેના ટ્‌વીટમાં સામંથા વિશે આગળ લખ્યું છે કે ‘મેં મેન્ટલ ટોર્ચર સહન કર્યુ છે. મારપીટ સહન કરી (ફિઝિકલ ટોર્ચર).

હું પ્રેગનેન્ટ હતી પરંતુ મારુ અબોર્શન કરાવ્યું. ભગવાનનો આભાર, મેં છૂટાછેડા લીધા અને તેનાથી અલગ થઈ ગઇ’. જાે કે આ સમગ્ર મામલે સામંથા અને નાગા ચૈતન્યનું ઓફિશિયલ રિએક્શન સામે આવ્યું નથી. ફિલ્મ ક્રિટિકની આ ટિ્‌વટ સામે આવ્યા બાદ સામંથા અને નાગા ચૈતન્યના છૂટાછેડાનું કારણ ફરી એકવાર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચામાં આવી ગયું છે.

કેટલાક લોકો વિશ્વાસ પણ નથી કરી શકતા કે આ સાચું છે? જાે કે, સામંથા અને નાગા ચૈતન્ય આ દિવસોમાં તેમની કરિયર પર ધ્યાન આપી રહ્યા છે. જ્યારે સામંથા તેના બોલિવૂડ ડેબ્યૂ માટે જાેરશોરથી તૈયારી કરી રહી છે, ત્યારે ચૈતન્યએ આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, નાગા ચૈતન્યએ તેની આગામી તામિલ-તેલુગુ ફિલ્મ ‘કસ્ટડી’ના છેલ્લા શેડ્યૂલનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. બીજી તરફ, સમંથા રૂથ પ્રભુ આ દિવસોમાં ‘સિટાડેલ’ ઈન્ડિયાના શૂટિંગમાં વ્યસ્ત છે.

આમાં અભિનેત્રી વરુણ ધવન સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરતી જાેવા મળશે. સામંથા ‘ખુશી’, ‘શાકુંતલમ’ સાથે ઘણી ફિલ્મોમાં જાેવા મળવાની છે, જેની ફેન્સ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. તેના બોલિવૂડ ડેબ્યૂને લઈને ફેન્સ પણ ખૂબ જ એક્સાઇટેડ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.