Western Times News

Gujarati News

સુજનીપુર ગામના વોકળામાં ૩ બાળકોના ડૂબી જતા મોત

પાટણ, પાટણ જિલ્લાના સુજનીપુરમાં ત્રણ બાળકોના ડૂબી જતાં મોત નીપજ્યા છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ તરવૈયાઓ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ આ ત્રણેય બાળકોને પોસ્ટમોર્ટમ અર્થે પાટણની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પાટણના સરસ્વતી તાલુકાના સુજનીપુર ગામમાં આવેલા વોકળામાં પાણી પીવા જતાં અકસ્માતે પડી ગયેલા ત્રણ બાળકોના મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ, પાટણના સરસ્વતી તાલુકાના સુજનીપુર ગામે ધોરણ ૮માં ભણતા ત્રણ મિત્રો બપોરે સ્કૂલેથી છૂટ્યા બાદ લટાર મારવા નીકળ્યા હતા.

ત્યારે પાણીની તરસ લાગતા સુજનીપુર પાસે આવેલ વોકળામાં પાણી પીવા જતાં પગ લપસતા ત્રણેય બાળકો ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. ખેતરેથી ઘરે જઈ રહેલા કેટલાંક લોકોને આ બનાવની જાણ થઈ હતી. તેમણે ગ્રામજનોને જાણ કરતા ગામલોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

ત્યારબાદ સ્થાનિક તરવૈયાઓ અને પાટણ ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમની મદદથી બાળકોને વોકળામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પાટણના સુજનીપુરના વોકળામાં અકસ્માતે પડી ગયા બાદ ડૂબી જતાં ૩ બાળકોના મોત નીપજ્યા છે. ત્યારબાદ ત્રણેય બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટણ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં મૃતક બાળકોના પરિવારજનો પણ દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતા પાટણના ધારાસભ્ય પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને મૃતક બાળકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. સ્થાનિક તરવૈયાઓ અને પાટણ ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમની મદદથી બાળકોને વોકળા માંથી બહાર કાઢ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, બાળકોના મોત થતાં તેમના પરિવારજનો માથે આભ ફાટી પડ્યું છે. બાળકોના મૃતદેહના સમાચાર સાંભળીને પરિવારજનોએ ભારે આક્રંદ મચાવ્યું હતું. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ તરવૈયાઓએ બાળકોના મૃતદેહ શોધવાની કામગીરી હાથ ધરી હતી.

કલાકો સુધી મહેનત કર્યા બાદ ત્રણેય બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારે પોલીસે ત્રણેય મૃતક બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટણની સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.