Western Times News

Gujarati News

કબૂતરની પીછાની ડસ્ટને લીધે ફેફસાં ચોકઅપ થવાનું તોળાતું જાેખમ

પ્રતિકાત્મક

ફેફસાં નબળાં પડવાની સાથે આયુષ્ય ઘટે, ઓકિસજનની જરૂરીયાત વધે

(એજન્સી)અમદાવાદ, કબુતરના પીીછા કે ચરક આસપાસ વધુ પ્રમાણમાં રહેવાથી શ્વાસને તકલીફ સાથે ભવીષ્યમાં ફેફસા નબળાં પાડી શકે છે. જે દર્દીના ફેફસાં નબળાં પડે એટલે ઓકિસજનની જરૂરીયાત વધતી હોય છે. અને આયુષ્ય ઓછું થાય છે. Imminent lung choke-up due to pigeon feather dust

આવા જ એઅક કિસ્સામાં અઅમદાવાદમાં એરપોર્ટ નજીક રહેતી અએક મહીલા પોતાના વરંડામાં કબુતરને ચણ નાંખતા હતા અને ચબુતરો પાણી પી શકે તે માટે તેમણે એક બાઉલ પણ રાખ્યું હતું. લાંબા સમય સુધી આવો નિત્યક્રમ રાખવાના કારણે આ મહીલાના ફેફસા ચોકઅપ થઈ ગયા હતા અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડા માંડી હતી

અને ૪૦ વર્ષના મહીલા દર્દીને રોજ પાંચથી સાતલીટર ઓકસીજનની જરૂર પડતી હતી. તાજેતરમાં અમદાવાદની કે.ડીી. હોસ્પિટલમાં એક મહીલાના બંને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જાેકે ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ બાદ હવે મહીલાના ઓઅકિસજનની જરૂર નથી. તેમ કે.ડીી. હોસ્પિટલના ડેો.મુકેશ પટેલે જણાવ્યું હતું.

ફાયબ્રોસીસન પ્રકાર જેને હાયપર સેન્સિટીવી ન્યુમોનાઈટીસ કહેવાય જેમાં માર્બલ સ્ટોનનું કામ કરતાં હોય ને ડસ્ટ શરીરમાં જાય,કબુતરનીચરક પીછાની ધુળ શ્વાસ માફરશતે શરીરમાં જાયતેવા કિસ્સામાં ફેફસાં નબળા પડઠે છે. અમદાવાદની આ મહીલા છેલ્લા ૧પ વર્ષથી સારવાર ચાલતી હતી.૧પ વર્ષ પહેલા જયારે તેમના લગ્ન થયા હતા.

એના છ મહીના પછી આ પ્રકારના રોગનું નિદાન થયું છે. ઝડપી રોગનું નિદાન થતાં અને સતત સારવાર બાદ ટ્રાન્સપ્લાન્ટને અંતે આજે આ દર્દી સ્વસ્થય છે. કોરોનાના થયા પછી આ દર્દીમાં ઓકીસજનની જરૂરીયાત દર મીનીટે પાંચથી સાચ લીટર થઈ હતી, જે ઘરમાં રહીને મેનેજ કરવું ખૂબ અઘરું હતુ

ઓકિસજન મશીન ઘરે વસાવીએ તો તેની કેપેસીીટી પાંચ લીટરની હોય છે. આ પરીવારે ઓકિસજન માટે બે મશીન ઘરે વસાવ્યા હતા. પરંતુ સફળ ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીને ઓકિીસજનની જરૂરીયાત સહેજેય નથી. સામાન્ય રીતે ચબુતરા પાસે કબુતરને દાણા નાખવાનો નિત્ક્રમ હોય અથવા

તો દાણા નાખવાની એકટીવીટી માં ભલે એકટીવ ન હોય પણ ફલેટના ધાબે કબુતર મોટી સંખ્યામાં આવતાં હોય અને તેની આસપાસ પીછાં ચરક ઉડતાં હોય તેવી સ્થિતીમાં ફેફસાં ડેમેજ થવાની શકયતા સાથે આ પ્રકારશનો રોગ થઈ શકે છે. મહીલાની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સતત ૧ર કલાક જેટલા સમય સુધીી ચાલી હતી. બ્રેઈન ડેડ દર્દીના ફેફસાં સુરતથી ચાર્ટર વિમાન મારફતે અમદાવાદ લવાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.