Western Times News

Gujarati News

આયશા સિંહનો પહેલો દિવસ ખૂબ ખરાબ રહ્યો

મુંબઈ, ગુમ હૈ કિસી કે પ્યાર મેં ફેમ આયશા સિંહ ઘર-ઘરમાં જાણીતું નામ બની ગઈ છે. સઈના પાત્રએ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી તેમ કહીએ તો પણ ચાલે. શોમાં નીલ ભટ્ટ સાથેની તેની જાેડીને ખૂબ પસંદ કરવામાં આવી રહી હતી.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી જાેવા મળેલા ટિ્‌વસ્ટ& ટર્ન્સ બાદ તે હર્ષદ અરોરાની ઓપોઝિટમાં જાેવા મળી રહી છે. GHKKPMમાં આગામી સમયમાં ૨૦ વર્ષનો લીપ આવવાનો છે અને ત્યારબાદ સઈ નહીં જાેવા મળે.

આ પહેલા આપેલા એક ઈન્ટરવ્યૂમાં આ શો કેવી રીતે મળ્યો હતો અને શૂટ પરનો પહેલો દિવસ કેવો રહ્યો હતો તેના વિશે એક્ટ્રેસે વાત કરી હતી. ટેલી ચક્કર સાથેની વાતચીતમાં આયશા સિંહે જણાવ્યું હતું કે, સેટ પર પહેલા દિવસનો અનુભવ એવો રહ્યો હતો કે તેણે પરત જવાનો ર્નિણય લીધો હતો. તે ખૂબ દુઃખી હતી. પરંતુ બીજા દિવસે સેટ પર જે જાેયું તેનાથી ખુશ થઈ હતી.

‘મને પહેલો દિવસ બરાબર યાદ છે. શોમાં મને કાસ્ટ કરવા પર સેટ પર હાજર લોકો મને શંકાની નજરથી જાેવા લાગ્યા હતા. મને કાસ્ટ કરી હોવાનો ર્નિણય તેમને યોગ્ય લાગી રહ્યો નહોતો. મારું પણ સેટ પર પરત જવાનું સહેજ પણ મન નહોતું થતું. જ્યારે હું ઘરે પહોંચી તો મારા મિત્રો ઉત્સાહિત હતા. મેં તેમને મારો પહેલો દિવસ ખરાબ રહ્યો હોવાનું કહ્યું હતું. મારા મિત્રોએ મને સપોર્ટ આપ્યો હતો. પરંતુ બીજા દિવસે જ્યારે સેટ પર પહોંચી તો એકદમ અલગ નજારો જાેવા મળ્યો.

મારો પહેલો સીન સંદય નાર્વેકર સર સાથે હતો. શોમાં તેઓ મારા પિતાના રોલમાં હતા. આજે પણ તેમની સાથે મારા સારા સંબંધો છે’, તેમ એક્ટ્રેસે ઉમેર્યું હતું. આ સાથે આયશા સિંહે તેને ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ શો કેવી રીતે ઓફર થયો તે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘ઓફર મને લોકડાઉન વખતે મળી હતી. હું મારા બીમાર અંકલને મળવા માટે મુંબઈ અવર-જવર કરતી હતી. આ સાથે હું ઓનલાઈન પણ ઓડિશન આપતી હતી.

મિત્રોના કહેવા પર મેં એક્ટિંગ સ્કૂલ જાેઈન કરી હતી. એકવાર મને GHKKPM મોક શૂટ માટે ફોન આવ્યો હતો અને મને કાસ્ટ કરાઈ હતી. સીરિયલની વાત કરીએ તો, ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં આગામી સમયમાં ૨૦ વર્ષનો લીપ આવવાનો છે. લીપ બાદ કહાણી કેવી હશે તે અંગે હજી સુધી કોઈ માહિતી સામે આવી નથી. લીપ બાદ નીલ ભટ્ટ, આયશા સિંહ અને હર્ષદ અરોરાની એક્ઝિટ થશે. શોમાં વીણુ અને સવીને મોટા થયેલા દેખાડાશે. વિરાટનો પરિવાર યથાવત્‌ રહેશે. ઐશ્વર્યા શર્મા તો આ મહિનાની શરૂઆતમાં જ શો છોડી ચૂકી છે.

તેવી પણ ચર્ચા છે કે GHKKPM આયશા ખૂબ જલ્દી નવા શોમાં દેખાશે, જેમા તેની ઓપોઝિટમાં અર્જુન બિજલાની હશે. આ કલાકારો પોતાનાથી મોટી ઉંમરના કલાકારોનો રોલ ભજવવા ન માગતા હોવાની ચર્ચા હતી. આ સિવાય તેઓ ફી પણ વધારવા માગતા હતા અને તેથી શો છોડવાના હોવાનું કહેવાતું હતું. જાે કે, એક ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે તમામ ખબરોને નકારી કાઢી હતી અને કહાણીની જરૂરિયાત સમજી તેઓ જઈ રહ્યા હોવાનું કહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.