Western Times News

Gujarati News

#Adipurush: થિયેટરમાં એક સીટ હનુમાનજી માટે ખાલી રાખવામાં આવી

એક થિયેટરમાં તો વાનર પણ પહોંચ્યો

મુંબઈ: પ્રભાસ સ્ટારર રામાયણ પણ આધારીત ફિલ્મ ‘આદિપુરૂષ’ દેશભરમાં થિયેટરોમાં રિલીઝ થઈ છે. સોશ્યલ મિડિયા પર દર્શકોનાં રિએકશન અને સિનેમા હોલની અનેક તસ્વીરો બહાર આવી છે.ફિલ્મની રીલીઝ પહેલા મેકર્સે જાહેરાત કરી હતી કે દરેક થીયેટરમાં એક સીટ હનુમાનજી માટે રિઝર્વ રાખવામાં આવશે.

અનેક લોકોએ સીટની તસ્વીર શેર કરી છે તેમાં કયાંક હનુમાનજીની તસવીર તો કયાંક કપડા અને ફૂલ રાખેલા જોવા મળે છે. એવી માન્યતા છે કે જયાં પણ રામની કથા સંભળાવવામાં આવે છે ત્યાં હનુમાનજી હાજર રહે છે. એક એવો વિડીયો પણ વાયરલ થયો છે જેમાં સિનેમા હોલમાં વાનર ઘુસી ગયો હોય.

ઓમ રાઉતે ટ્રેલર ઈવેન્ટ પ્રસંગે જાહેરાત કરી હતી કે દરેક થિયેટરમાં એક સીટ હનુમાનજી માટે ખાલી રાખવામાં આવશે. આમ બોલતા બોલતા ઓમ રાઉત રડી પડયા હતા. તેમણે કહ્યું હતું કે જયાં પણ રામાયણનાં પાઠ થાય છે ત્યાં ભગવાન હનુમાન જરૂર પહોંચી જાય છે. રાઉતની આ જાહેરાતે અનેક દર્શકોને પણ ભાવુક કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.