Western Times News

Gujarati News

અંકલેશ્વર પાલિકા દ્વારા જર્જરિત પોસ્ટમોર્ટમ રૂમ બંધ કરાયો

અંકલેશ્વર, અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સંચાલિત ડિસ્પેન્સરીના પોસ્ટ મોર્ટમ રૂમને નગરપાલિકા દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. ડી-કમ્પોઝ શાળા પોસ્ટ મોર્ટમ રૂમને અડીને આવેલ જુના બંધ દવાખાનામાં હંગામી ધોરણે શિફ્ટ કરવાના કારણે બાજુમાં આવેલ જર્જરીત પોસ્ટ મોર્ટમ રૂમ બંધ કરી દેવાની ફરજ પડી છે. હવે મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે સજાેદ, ખરોડ, જીતાલી, ગડખોલ સહિતના પી.એચ.સી. સેન્ટરો ખાતે જવું પડશે.

અંકલેશ્વર નગરપાલિકા દવાખાના ખાતે વર્ષાેથી ચાલતા પોસ્ટ મોર્ટમ સેન્ટરને અચાનક બંધ કરી દેવાયો હતો પોસ્ટ મોર્ટમ રૂમ અંગે અગાઉ રજૂઆત બાદ ૨૦૧૪માં પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો જે બાદ પુનઃ અંકલેશ્વર નગરપાલિકા તંત્ર દ્વારા પોસ્ટ મોર્ટમ રૂમ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

તેમજ પીએમ રૂમ જર્જરિત થઇ ગયો હોય જે બાબતે ૧૫ દિવસ અગાઉ તાલુકા બ્લોક હેલ્થ સેન્ટરને પત્ર લખી જાણ કરીને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. નગરપાલિકા તંત્ર દ્વારા પોસ્ટ મોર્ટમ રૂમ બંધ કરવા પાછળનું કારણ એક તો બાજુમાં કન્યા શાળા-૧ આવેલી છે જે શાળાનું ડીમોલેશન કરી નવી શાળાનું બિલ્ડિંગ ઉભું કરવાનું હોય

જેથી શાળાને હંગામી બિલ્ડિંગ તરીકે બાજુમાં આવેલ પાલિકાની બંધ જૂની ડિસ્પેન્સરીમાં શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને જૂની ડિસ્પેન્સરીને અડીને પોસ્ટ મોર્ટમ રૂમ આવેલો છે તેમજ ડીકમ્પોઝ મૃતદેહમાંથી આવતી દુર્ગંધને લઇ સ્થાનિક રહીશો અને દુકાનદારોની રજૂઆત મળી હતી જે ધ્યાને લઇ હાલ પોસ્ટ મોર્ટમ રૂમ બંધ કરવાનું નક્કી કરાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.