Western Times News

Gujarati News

મુંબઈમાં હું શોર્ટ ટ્રીપ પર આવી છું: દલજીત કૌર

મુંબઈ, ટીવી એક્ટ્રેસ દલજીત કૌર લગ્નના ચાર મહિના બાદ પહેલીવાર મુંબઈ આવી છે. દલજીત અને તેનો દીકરો એક દિવસ અગાઉ જ મુંબઈ આવ્યા છે. દલજીત યુકેના બિઝનેસમેન નિખિલ પટેલ સાથે લગ્ન કરીને કેન્યા શિફ્ટ થઈ ગઈ હતી. હાલમાં જ દલજીત સાથે વાત કરીને તેનો મુંબઈ આવવાનો ઉદ્દેશ જાણ્યો હતો.

મુંબઈ આવેલી દલજીત ખૂબ ખુશ લાગી રહી હતી. તેણે વાત કરતાં કહ્યું, “મને કેન્યામાં ખૂબ મજા આવી રહી છે. લગ્નના ચાર મહિના થઈ ગયા છે. સમય તો જાણે પાણીની જેમ વહી રહ્યો છે. મુંબઈમાં હું શોર્ટ ટ્રીપ પર આવી છું. અહીં મારું કેટલુંય કામ બાકી છે જે પૂરું કરવા આવી છું. અહીં પાસપોર્ટનું થોડું કામ છે અને જેડનને લગતું પણ થોડું કામકાજ બાકી છે.

દસ્તાવેજનું કામ બાકી છે જેને પૂરું કરવું જરૂરી છે. શુક્રવારે હું લંડન જવા નીકળીશ. હું ઓક્ટોબરમાં ફરીથી મુંબઈ આવીશ અને અહીં વધુ સમય રોકાઈશ. દલજીત કૌરે કેન્યા જઈને ભારતીય વાનગીઓને ખૂબ યાદ કરે છે. પોતાની ફૂડ ક્રેવિંગ્સ વિશે વાત કરતાં તેણે કહ્યું, “મને ભારતની ખૂબ યાદ આવે છે.

કેન્યામાં પહેલા મહિને મને મુંબઈની ખૂબ યાદ આવતી હતી. હું રડતી હતી. જાેકે, હવે મેં ત્યાં ફ્રેન્ડ્‌સ બનાવી લીધા છે. છતાંય મને ભારતની યાદ તો આવે જ છે. મેં મુંબઈમાં ઉતર્યા પછી પાણીપુરી ખાધી હતી. મને ઘણી બધી વસ્તુઓ ખાવાની ઈચ્છા થઈ રહી હતી અને એ બધી જ મેં ખાધી છે. દલજીત નાઈરોબીમાં સેટ થઈ ગઈ છે અને તેને મજા પણ આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ‘બિગ બોસ’ ફેમ દલજીત કૌરે બીજીવાર લગ્ન કર્યા છે. તેણે નિખિલ પટેલ સાથે બીજા લગ્ન કર્યા છે.

નિખિલ ડિવોર્સી છે અને તે બે દીકરીઓનો પિતા છે. નિખિલની એક દીકરી તેની સાથે રહે છે જ્યારે બીજી દીકરી તેની પૂર્વ પત્ની સાથે રહે છે. દલજીત કૌરે પહેલા લગ્ન એક્ટર શાલીન ભાનોત સાથે કર્યા હતા. શાલીન અને દલજીતે ૨૦૦૯માં લગ્ન કર્યા હતા. તેમનો એક દીકરો છે જેડન. જાેકે, થોડા વર્ષોમાં જ તેમની વચ્ચે મતભેદ થવા લાગ્યા હતા. ૨૦૧૫માં બંનેના ડિવોર્સ થયા હતા. એ વખતે દલજીતે શાલીન પર ઘરેલુ હિંસા સહિતના ગંભીર આક્ષેપ કર્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.