Western Times News

Gujarati News

યમુનાના જળસ્તરમાં વધારાથી દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો પર પૂરનો ખતરો

નવી દિલ્હી, દિલ્હીમાં યમુનાના જળસ્તરમાં વધારો હવે ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે. કારણ કે દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો પર પૂરનો ખતરો મંડરાઇ રહ્યો છે. Flood threat to people of Delhi due to increase in water level of Yamuna

કેટલાક વિસ્તારોમાં પહોંચવા માટે રેસ્ક્યુ ટીમને બોટનો સહારો લેવો પડે છે. દક્ષિણ પૂર્વ દિલ્હી, પૂર્વ દિલ્હી અને ઉત્તર પૂર્વ દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યું છે.

હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે યમુનાનું પાણી હવે જીટી કરનાલ રોડ, કાશ્મીરી ગેટ, આઉટર રિંગ રોડ, યમુના બજાર, આઈટીઓ અને દિલ્હી ગેટ સુધી પહોંચી ગયું છે. જાે યમુનાના જળસ્તરમાં વધારો એક કે બે દિવસ સુધી યથાવત રહેશે તો યમુનાનું પાણી નવી દિલ્હી રેલ્વે સ્ટેશન, કનોટ પ્લેસ, પ્રગતિ મેદાન થઈને દિલ્હી ગેટ અને આઈટીઓના વિસ્તારો સુધી પહોંચી શકે છે. જ્યારે આ વિસ્તારો સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સંસદ ભવન, ઈન્ડિયા ગેટ, કેન્દ્ર સરકારના મુખ્ય મંત્રાલયો અહીંથી થોડે દૂર આવેલા છે, જેના દ્વારા સમગ્ર દેશનું સંચાલન થાય છે. યમુનાના જળસ્તરમાં વધારા અંગેનો તાજેતરનો અહેવાલ એ છે કે દિલ્હીમાં દરેક જગ્યાએ પાણી દેખાઈ રહ્યું છે. ૧૩મી જુલાઈની સવારે યમુનાનું જળસ્તર ૨૦૮.૪૬ મીટરને પાર કરી ગયું છે.

યમુના બજાર સંપૂર્ણપણે ડૂબી ગયું છે. અહીં લોકોને બોટનો સહારો લેવાની ફરજ પડી રહી છે. આટલું જ નહીં દિલ્હીનો આઉટર રિંગ રોડ પાણીના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ૧૩ જુલાઈની સાંજ સુધીમાં યમુનાનું જળસ્તર ૨૦૮.૭૫ મીટરને પાર કરી જશે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પ્રખ્યાત નિવાસસ્થાનની ચારેબાજુ પાણી જ પાણી છે. યમુના નદીનું જળસ્તર વધ્યા બાદ દિલ્હીના જીટી કરનાલ રોડ પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. આ સિવાય જીટી કરનાલ રોડ, કાશ્મીરી ગેટ, આઉટર રિંગ રોડ, યમુના બજાર, આઈટીઓ, દિલ્હી ગેટ સુધી પાણી ઘુસી ગયા છે.

દિલ્હીમાં યમુના નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે કાશ્મીરી ગેટ પાસેના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. પાણીના સ્તરમાં સતત વધારો થયા પછી દ્ગડ્ઢઇહ્લ અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને બહાર કાઢવા અને તેમને સુરક્ષિત સ્થાનો પર લઈ જવા માટે સ્થળ બચાવ કામગીરીમાં રોકાયેલ છે.

ગુરુવારે એટલે કે ૧૨ જુલાઈએ યમુનાના જળસ્તરમાં વધારો થયા બાદ લોખંડનો જૂનો પુલ બંધ કરી દેવામાં આવ્યો હતો. યમુનાના ડૂબેલા વિસ્તારમાં દિલ્હી પોલીસ દ્વારા કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. એલજી વિનય સક્સેનાએ જાતે જ બોટ પર સવાર થઈને યમુનાના જળસ્તર અને પૂરની માહિતી લીધી હતી.

સેન્ટ્રલ વોટર કમિશને પાણીના સ્તરમાં રેકોર્ડ વધારાની જાહેરાત કર્યા બાદ સીએમ અરવિંદ કેજરીવાલે લોકોને ઘર છોડીને સુરક્ષિત વિસ્તારોમાં પહોંચવાની અપીલ કરી હતી. અત્યાર સુધી હજારો લોકોએ દિલ્હી સરકાર દ્વારા સ્થાપિત કેમ્પમાં આશરો લીધો છે. દિલ્હી સરકારના મંત્રીઓ સતત પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.