Western Times News

Gujarati News

ભોજલરામ મંદિરના ર૩માં પાટોત્સવ તેમજ ૩પમાં વિદ્યા પુરસ્કાર સમારંભનું આયોજન

ગાંધીનગર, ગાંધીનગરની સંસ્થા શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ મિત્ર મંડળ અને શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજના સંયુકત ઉપક્રમે આગામી તા.૧૯મી ઓગસ્ટના રોજ સેકટર ૭સી ખાતે સવારે ૯ થી ૧૧ કલાક દરમ્યાન સંત શ્રી ભોજલરામ મંદિરના ર૩માં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત સંસ્થા દ્વારા આગામી તા.ર૦મી ઓગસ્ટના રોજ કોબા સર્કલ પાસેના નભોઈના ૪૮ ગામ કડવા પાટીદાર સમાજ ભવન ખાતે બપોરે ૩ થી ૭ કલાક દરમિયાન ૩પમાં વિદ્યા પુરસ્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ મિત્ર મંડળ દ્વારા આયોજિત સંત શ્રી ભોજલરામ મંદિરના ર૩માં પાટોત્સવમાં પાટનગરના સુપ્રસિદ્ધ પંચદેવ મંદિરના શાસ્ત્રી શ્રી નીલકંઠ ફૂલશંકર પાટોત્સવ વિધિ કરાવશે. જયારે બીજા દિવસે યોજાનારા ઈનામ વિતરણ સમારંભમાં કડી સર્વ વિદ્યાલયના પ્રમુખ અને સર્વ વિશ્વવિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન વલ્લભભાઈ પટેલ સમારંભના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત અતિથિ વિશેષ પદે અમદાવાદથી સરદાર ધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા અને રાજસ્થાનના ડુંગરપુર સ્થિત પાટીદાર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના સાગવાડા ખાતેના વિદ્યાનગર શિક્ષા સંકુલના અધ્યક્ષ ડાહ્યાલાલ પાટીદાર ઉપસ્થિત રહેશે.

વિદ્યા પુરસ્કાર સમારંભ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેવું મિત્ર મંડળના પ્રમુખ ગોવિંદભાઈ નસીત તથા સેવા મંડળના પ્રમુખ કિશોરભાઈ શેલડીયાની અખબારી યાદીમાં જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.