Western Times News

Gujarati News

પવિત્ર શ્રાવણ માસના બીજા  સોમવારે સોમનાથ મંદિરમાં પાલખીપૂજન

શ્રાવણ માસના બીજા  સોમવારે શ્રી સોમનાથ મહાદેવને પ્રાત:શૃંગાર  વિવિધ પીતાંબર, વિવિધ પુષ્પો, તેમજ ભસ્મનો અલૌકિક શૃંગાર કરવામાં આવેલ. જે દર્શનની ઝાંખી કરી  ભક્તોએ ધન્યતા અનુભવી. સાથે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા ઓમ નમ: શિવાયનો નાદ ગુંજી ઉઠ્યો…

પરંપરાગત રીતે યોજાતી પાલખીયાત્રામાં શ્રી  સોમનાથ મહાદેવની પાલખીયાત્રા ને ગુલાબ, કમળ, બિલ્વપત્ર સહિત પુષ્પહાર થી શણગારવામાં આવી હતી.

પાલખીયાત્રા હર હર મહાદેવ અને જય સોમનાથ ના નાદ સાથે મંદિર  પરીસરમાં ફરી હતી. આ પ્રસંગે પાલખી પૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી ના હસ્તે  કરવામાં આવેલું હતું. જેમાં  શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી, કર્મચારી,તીર્થ પુરોહિત, દર્શનાર્થીઑ પણ જોડાયા અને ધન્યતા અનુભવી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.