Western Times News

Gujarati News

ઇમરજન્સીને ૪૪ વર્ષનો ગાળો પરિપૂર્ણ

ઇમરજન્સી ગાળા દરમિયાન સ્વતંત્રતાને દબાવી દેવામાં આવી હતી,
વિપક્ષના નેતાઓને જેલ ભેગા કરાયા હતા

નવીદિલ્હી : દેશમાં આજના દિવસથી જ આશરે ૪૩ વર્ષ પહેલા ઇમરજન્સી લાગૂ કરવામાં આવી હતી. આ ગાળા દરમિયાન મિડિયાની સ્વતંત્રતાને દબાવી દેવામાં આવી હતી. વિપક્ષી નેતાઓને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. ઇમરજન્સીના ગાળા દરમિયાન જેલ જઇ ચુકેલા પૂર્વ કેન્દ્રિય પ્રધાન અરુણ જેટલી આ ગાળાને યાદ કરીને પૂર્વ વડાપ્રધાન ઈન્દ્રિરા સરખામણીમાં જર્મનીના ક્રૂર શાસક હિટલર સાથે એક વખત કરી ચુક્યા છે.

ઇમરજન્સીના ગાળા દરમિયાન સામાન્ય લોકો માટે બનાવવામાં આવેલા બંધારણને તોડી પાડવામાં આવ્યા હતા. બંધારણને સરમુખત્યારના બંધારણમાં ફેરવી નાંખવામાં આવ્યા હતા. હિટલરે સંસદના મોટાભાગના વિપક્ષી નેતાઓને પકડી લીધા હતા અને પોતાની લઘુમતિ સરકારને સંસદમાં બે તૃતિયાંશ બહુમતિ પુરવાર કરી દીધી હતી. ઈન્દિરા પણ સંસદના મોટાભાગના વિપક્ષી નેતાઓને જેલ ભેગા કરી દીધા હતા.

તેમની ગેરહાજરીમાં બે તૃતિયાંશ બહુમતિ પુરવાર કરીને અનેક સુધારા કરી દીધા હતા. ૪૨માં સુધારા મારફતે હાઈકોર્ટમાં રિટ પિટિશન જારી કરવાના અધિકારને ઘટાડી દેવામાં આવ્યો હતો. ડોક્ટર ભીમરાવ આંબેડકરની બંધારણ પ્રત્યે ભાવનાને ઠેસ પહોંચાડવામાં આવી હતી. ઈન્દિરા ગાંધીએ કલમ ૩૬૮માં પણ ફેરફાર કર્યા હતા જેથી બંધારણમાં કરવામાં આવેલા ફેરફાર જ્યુડિશિયલ રિવ્યુમાં આવી શકે નહીં.

ઈન્દિરા ગાંધીએ એવી કેટલીક એવી ચીજા પણ કરી નાંખી હતી. જેના કારણે હિટલર સાથે તેમની સરખામણી કરી શકાય છે. કેટલીક એવી ચીજા કરી હતી જે હિટલરે પણ કરી ન હતી. ઈન્દિરા ગાંધીએ સંસદીય કાર્યવાહીની મિડિયામાં રજૂઆત ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો.

લોક પ્રતિનિધિત્વ એક્ટમાં ફેરફાર કરી દીધા હતા. બંધારણમાં સુધારા મારફતે વડાપ્રધાનની ચૂંટણીને કોર્ટમાં પડકાર ફેંકવા જેવી સ્થિતિ રાખી ન હતી. લોક પ્રતિનિધિત્વ કાયદામાં ફેરફાર કરી દેવામાં આવ્યા હતા. ઈન્દિરા ગાંધીએ પોતાની ગેરકાયદે ચૂંટણીને આ કાયદા હેઠળ યોગ્ય ઠેરવી શકાય તેવા ફેરફાર કર્યા હતા.

હિટલરથી આગળ વધી જઇને ઈન્દિરાગાંધીએ ભારતને વંશવાદી લોકશાહીમાં ફેરવી દેવામાં ભૂમિકા ભજવી હતી. ૨૫મી જૂન ૧૯૭૫ની અડધી રાત્રે ઇમરજન્સી જાહેરાત કરવામાં આવી હતી જે ૨૧મી માર્ચ ૧૯૭૭ સુધી જારી રહી હતી.ઈન્દિરા ગાંધીએ તેમના તમામ હરિફોને જેલ ભેગા કરી દીધા હતા. જેમાં પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી પણ સામેલ હતા.

આની માઠી અસર કોંગ્રેસ પર થઇ હતી. તેની પ્રતિષ્ઠાને મોડેથી અસર થઇ હતી. ઇમરજન્સી ગાળા દરમિયાન તમામ ગતિવિધી પર નિયંત્રણ લાગુ કરી દેવામાં આવ્યા હતા. ઇÂન્દરાએ અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ બાદ આ દિશામાં આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. જેથી દેશમાં ભારે અવ્યવસ્થા ફેલાઇ ગઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.