Western Times News

Gujarati News

ચાર ધામ યાત્રાના પ્રથમ ૧૦ દિવસમાં ૩.૧૯ લાખ ભક્તો કેદારનાથ પહોંચ્યા

ઉત્તરાખંડ, ઉત્તરાખંડમાં ચાર ધામના દર્શન કરવા જનારા ભક્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ૧૦ મેથી શરૂ થયેલી ચાર ધામ યાત્રાના પ્રથમ ૧૦ દિવસમાં ૩ લાખ ૧૯ હજાર શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચ્યા છે.

ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રાતુરીએ ગુરુવારે વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને ચાર ધામ યાત્રા વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ગયા વર્ષની સરખામણીમાં યમુનોત્રીમાં ૧૨૭% અને કેદારનાથમાં ૧૫૬% નો વધારો જોવા મળ્યો છે.

મુખ્ય સચિવે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાને જણાવ્યું હતું કે આ વર્ષે ૧૩૮,૫૩૭ શ્રદ્ધાળુઓએ યાત્રા સીઝનના પ્રથમ દસ દિવસમાં યમુનોત્રીની મુલાકાત લીધી હતી, જે છેલ્લા બે વર્ષ કરતાં ૧૨૭% વધુ છે. એ જ રીતે, ૧૨૮,૭૭૭ ભક્તોએ ગંગોત્રી ધામની મુલાકાત લીધી, જે છેલ્લા બે વર્ષ કરતાં ૮૯% વધુ છે.

કેદારનાથ ધામને ૩૧૯,૧૯૩ ભક્તો મળ્યા, જે છેલ્લા બે વર્ષ કરતાં ૧૫૬% વધુ છે, અને બદ્રીનાથ ધામને ૧૩૯,૬૫૬ ભક્તો મળ્યા છે, જે છેલ્લા બે વર્ષ કરતાં ૨૭% વધુ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૨૨ મે સુધી કુલ ૩,૧૧૮,૯૨૬ નોંધણીઓમાંથી, યમુનોત્રી માટે ૪૮૬,૨૮૫, ગંગોત્રી માટે ૫૫૪,૬૫૬, કેદારનાથ માટે ૧,૦૩૭,૭૦૦, બદ્રીનાથ માટે ૯૫૫,૮૫૮ અને સાહિબ માટે ૮૪,૪૨૭ ભક્તોએ નોંધણી કરાવી છે.

ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, બિહાર, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ સૌથી વધુ ભક્તો ધરાવતા દસ રાજ્યો છે.બેઠક દરમિયાન, સીએસ રાતુરીએ એ પણ માહિતી આપી કે પોલીસે ૫૬ પ્રવાસન સહાયતા કેન્દ્રો સ્થાપ્યા છે.

યાત્રા પર નજર રાખવા માટે ૮૫૦ સીસીટીવી કેમેરા અને ૮ ડ્રોન લગાવવામાં આવ્યા છે. તેમણે કેદારનાથ ધામ યાત્રા રૂટ પર ૧,૪૯૫ વાહનોની ક્ષમતા સાથે વીસ પાર્કિંગ જગ્યાઓ બનાવી છે. તેઓએ પાર્કિંગ વ્યવસ્થાપન માટે ઊઇ કોડ-આધારિત સિસ્ટમ રજૂ કરી અને યમુનોત્રી અને ગંગોત્રી યાત્રાના માર્ગાે પર નિયંત્રિત વાહનોની અવરજવર માટે ૩-૪ હોલ્ડિંગ પોઇન્ટ બનાવવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે કેદારનાથ માર્ગ પર બહેતર ટ્રાફિક વ્યવસ્થાપન માટે સેક્ટર મેજિસ્ટ્રેટ તૈનાત કરવામાં આવ્યા છે અને ટ્રેકના માર્ગને સાફ કરવા માટે કુલ ૬૫૭ પર્યાવરણ મિત્ર તૈનાત કરવામાં આવ્યા છે.મુખ્ય સચિવના જણાવ્યા અનુસાર, આરોગ્ય વિભાગે યાત્રાના રૂટ પર ૧૨ મુખ્ય સ્થળોએ ૫૦ સ્ક્રીનિંગ કિઓસ્ક સ્થાપિત કર્યા છે.

આ ઉપરાંત યાત્રાના રૂટ પર કુલ ૧૫૬ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત ૮ બ્લડ બેંક પણ બનાવવામાં આવી છે. આરોગ્ય વિભાગે ૪૯ કાયમી આરોગ્ય સુવિધાઓ અને ૨૬ તબીબી રાહત પોસ્ટ બનાવી છે. યાત્રાના રૂટ પર ૨૨ નિષ્ણાતો, ૧૭૯ મેડિકલ ઓફિસર અને ૨૯૯ પેરામેડિકલ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.