Western Times News

Gujarati News

મેઘાણીનગરમાં વ્યાજખોરે માર મારતાં યુવાને ડરનાં માર્યા ઘર છોડ્યું

અમદાવાદ : ઉછીના લીધેલા અડધા રુપિયા ચૂકાવ્યા બાદ બાકીના નાણા પરત નહી કરી શકતાં વ્યાજખોરે વ્યક્તિને ઢોર માર મારવાની ફરીયાદ નોધાઈ છે. ધર્મેન્દ્રસિહ વાઘેલા રહે ન્યૂ અંબીકાનગર મેઘાણીગનર ને રૂપિયા જરૂર પડતાં શ્રી શક્તિ ફાયનાન્સનાં ધર્મેન્દ્રસિહ ઝાલા નામના વ્યક્તિ પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા જેનુ વ્યાજ રેગ્યુલર ચૂકવતા હતા જા કે હમણા તેની પરીસ્થતિ ખરાબ થતાં નાણા પરત કરી ન શકાત ધર્મેન્દ્રસિહ ઝાલા તેમને વારવાર ધમકીઓ આપતો હતો.

દરમિયાન ગઇકાલે ધર્મેન્દ્રસિહ ઝાલાએ ધર્મેન્દ્રસિહ વાઘેલાને રસ્તા વચ્ચે આંતરીને ઢોર મારા મારતાં તે ગભરાઈ ગયા હતા અને કરીને ત્યાથી ગાધીનગર ખાતે જતા રહ્યા હતા ગભરાઈ ગયેલા ધર્મન્દ્રસિહ વાઘેલાએ ફોન કરીને સમગ્ર ઘટના પત્નીને જણાવી હતી અને પોતે વ્યાજખોર ધર્મેન્દ્રસિહનાં ડરથી ઘરે નહી આવે તેવું જણાવતાં પત્નીએ તેવુ જણાવતા પત્નીએ શ્રી શક્તિ ફાયનાન્સ ના માલિક ધર્મન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ ફરીયાદ નોધાવી છે.

વધુ એક વ્યાજખોર દ્વારા વ્યક્તિને માર મારી પરેશાન કરવામાં આવતા મેઘાણીગનર પોલીસ સક્રિય થઈ છે. અને વ્યાજખોરને ઝડપી લેવાની કાર્યવાહી આરંભી છે. પત્નીને જાણ થતાં તેણે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.